મુંબઇના પ્રસિદ્ધ મંદિરની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરનું નામ આવે છે. આ ઉપરાંત ત્યાં સ્થાપિત મહાલક્ષ્મી મંદિરને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ બંને સાથે સાથે મુંબઇના બીજા પણ ઘણા ધાર્મિક સ્થળ છે દે દેશમાં વધારે પ્રસિદ્ધ છે. પરંતુ આજે અમે એ મંદિરોની નહીં પરંતુ એવા મંદિરો માટે જાણકારી આપવાના છીએ જ્યાં જવાનું તો દૂર પરંતુ આ મંદિર માટે પણ જાણતા હશે નહીં.
અમે વાત કરી રહ્યા છીએ મુંબઇના મુંબા દેવી મંદિરની. તમને જણાવી દઇએ કે આ મંદિરોને પ્રમુખ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. અહીંયાના લોકો દ્વારા કહેવા પર જાણવા મળ્યું કે મુંબા દેવીના આ મંદિરની મહિમા અપરંપાર છે. કહેવામાં આવે છે કે મુંબઇ નામ મરાઠી શબ્દ 'મુંબા' 'આઇ' એટલે કે મુંબા માતાના નામથી નિકળે છે.
મુંબા માતાનું આ મંદિર ચોપાટીના દરિયા કિનારાની નજીક બાબુલનાથ સ્થાન પર સ્થિત છે. માનવામાં આવે છે કે એનો ઇતિહાસ આશરે 400 વર્ષ જૂનો છે. આખું મુંબઇ જ નહીં પરંતુ મુંબા દેવીની માન્યતા પૂરા મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
જો તમને ખબર હોય તો મુંબઇની શરૂઆતમાં માછીમારોની બસ્તી હતી. અહીંયા એમને કોલી કહેવામાં આવે છે. કોલી લોકોએ જ મુંબા દેવીના મંદિરની સ્થાપના કરી હતી. એ લોકોનું કહેવું છે કે મુંબા દેવીની કૃપાથી જ એમને એટલે કે માછીમારોને ક્યારેય સમુદ્રનું નુકસાન પહોંચાડ્યું નથી. અહીંયા બીજા સમાજના લોકો પણ એટલી જ શ્રદ્ધાથી આવે છે.