પરમ બ્રહ્મચારી રામભક્ત હનુમાનજીનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. બ્રહ્મચારી હોવાની સાથે સાથે એમને મહાતપસ્વી અને મહા બળશાળી પણ માનવામાં આવે છે. ભારતના દરેક ખૂણામાં એમના ઘણા મંદિર સ્થાપિત છે અને આ મંદિરોની પોતાની માન્યતાઓ છે. આજે અમે તમને એક એવા હનુમાનજી માટે કહેવા જઇ રહ્યા છીએ જેમનો સીધો સંબંધ મહાભારત સાથે છે.
પવનપુત્ર ના આ મંદિરનું નામ પાંડુપોલ હનુમાન મંદિર છે. જણાવી દઇએ કે આ જયપુરના અલવર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની સૂતેલી પ્રતિમા સ્થાપિત છે. કહેવામાં આવે છે કે આ જગ્યા પર હનુમાનજી વિશ્રામ કરવા માટે રોકાયા હતા.
પ્રાચીન કથાઓ પ્રમાણે જ્યારે પાંડવ પોતાની મા કુંતીની સાથે વનમાં ભટકી રહ્યા હતા એ સમયે આ લોકો ફરતા ફરતાં આ વન વિસ્તારમાં આવી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે પાંડવોના વિચરણ દરમિયાન એક એવું સ્થાન આવ્યું જ્યાંથી આગળ જવાનો કોઇ રસ્તો નહતો. ત્યારે મહાબલી ભીમે રસ્તામાં ઊભેલા વિશાળ પહાડને પોતાના ગદાથી પ્રહાર કરીને ચકનાચૂર કરીને રસ્તો બનાવ્યો હતો. આ ઘટનાથી પ્રભાવિત થઇને ભીમના ભાઇઓ અને માતાએ એમના બળના ખૂબ વખાણ કર્યા. આ પ્રશંસાથી ભીમમાં થોડુંક ઘમંડ આવી ગયું હતું. આગળ જઇને પાંડવોના રસ્તામાં એક મોટું વૃદ્ધ વાંદરું સૂતેલું મળ્યું. ભીમે એ વાનરને ત્યાંથી ઊભા થઇને બીજે વિશ્રામ કરવા માટે કહ્યું.
ત્યારે એ વાનરે કહ્યું કે હું વૃદ્ધ હોવાને કારણે હલીચલી શકીશ નહીં તમે લોકો બીજા રસ્તેથી આગળ જાવ. પરંતુ ભીમને વાનરની આ વાત સારી લાગી નહીં અને એ વાનરને ત્યાંથી હટાવીને દૂર કરવા માટે આગળ આવ્યું. પરંતુ વાનરની પૂંછડી પણ હલાવી શકી નહીં. ત્યારબાદ વાનર એના અસલી રૂપમાં આવ્યું એ વાનર પોતે હનુમાનજી હતા. ભીમના માફી માગવા પર હનુમાનજીએ એને માફ કર્યા અને સ્વયં પ્રકટ થઇને ભીમને મહાબલી થવાનું વરદાન આપ્યું.