ભારત દેશ એક એવો દેશ છે જે પોતાના ચમત્કારો માટે વિશ્વભરમાં જાણીતો છે. જો વાત કરીએ અહીંયા સ્થાપિત મંદિરોની તો એમના રહસ્ય અને ચમત્કારની તો એ એટલા અદ્ભુત છે મોટા મોટા વૈજ્ઞાનિકો પણ એમની સામે ઘૂંટણ ટેકી દીધા હતા. આજે અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનના જોધપુર જિલ્લાના નિમાજગઢ કસ્બામાં સ્થિત જગરામેશ્વર મંદિર માટે. આ મંદિર અહીંયાના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
તમને જણાવી દઇએ કે આ મંદિર વડ અને પીપળાના ઝાડ પર બનેલું છે. કદાચ તમને જાણીને હેરાની થશે પરંતુ જી હાં વડ અને પીપળાના ઝાડ પર બનેલું આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. લોકો અહીંયા શિવજીની પૂજા અર્ચના અને મનોકામનાની પૂર્તિ માટે આવે છે.
કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતીય શૈલીથી બનેલું આ મંદિર શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા આમ તો દરરોજ ભક્તોની ભીડ લાગેલી રહે છે પરંતુ શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તો આ અદ્ભુત મંદિરમાં ભક્તોનો જમાવડો રહે છે.
આ મંદિરને લઇને એક કથા પ્રચલિત છે. જે આ પ્રકારની છે કે અહીંયા એક પુજારી તપસ્યામાં લીન હતા. એ દરમિયાન એમને ઉપરથી એક મંદિર પાસ થયા હોવાનો આભાસ થયો. પૂજારીએ પોતાની તપસ્યા કરી શક્તિના દમથી મંદિરને ત્યાં જ ઊતારી લીધું. માનવામાં આવી રહ્યું છે કે આ મંદિર ઝાડ પર જ ઊતારવામાં આવ્યું હતું.