ફાગણ તો ભાઈ ફાગણ છે. ફાગણ એટલે ચોતરફ રંગરાગનો ઉત્સવ. આ દિવસે વસંત વિજય મનાવાય. દરેક યુવાન હૈયુ ઘેલું ઘેલું થઈ ઉમંગમાં નાચે. “મનના ઓરતા હવે પાર પડશે”નાં શમણે રંગાય. આવા સરસ મજાના દિવસ ચાલી રહ્યા છે ત્યારે શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો.
ફાગણ એટલે ચોતરફ રંગરાગનો ઉત્સવ
ગુરુજીએ સંસારીઓ માટે કરી હતી આ ખાસ ટકોર
પૂર્વ જન્મનાં ઉદ્દાત્ત કર્મોથી થાય છે ભગવાનની પ્રાપ્તિ
પિતાજીનું નામ સૂર્યનારાયણ હતું. માતાનું નામ રુકિ્મણીદેવી હતું. આ બાળક જન્મથી જ દૈવી ગુણ સહિત જન્મ્યું હતું. આપણો સમાજ કર્મપ્રધાન છે. જેવાં જેવાં કર્મ હોય છે. તે તેવા કુળમાં જન્મતો હોય છે. સંત એકનાથ ગયા જન્મમાં કોઈ મહાન ભક્ત હશે તેથી બીજા જન્મે પણ પોતાના કર્મો અનુસાર દૈવી ગુણ લઈ જન્મ્યા. તેઓ બાળપણથી જ શ્રદ્ધાવાન, બુદ્ધિશાળી તથા ઈશ્વરના પરમ ભક્ત હતા.
ગુરુજીએ કરી આ ટકોર અને આપી સંસારની શીખ
તેઓ જ્યારે છ વર્ષના થયા ત્યારેતેમને યજ્ઞોપવીત આપવામાં આવ્યું હતું. તેઓ દરરોજ ભજન તથા સત્સંગ કરતા. એક દિવસની વાત છે. તેઓ બેઠા બેઠા તેમનો સ્વાધ્યાય કરતા હતા. ત્યાં તેમને આકાશવાણી સંભળાઈ, “તમે દેવગઢ ગામે જાવ. જનાર્દન પંતનાં દર્શન કરો. તેમનાં દર્શન કરવાથી તમે કૃતાર્થ થઈ જશો. એકનાથ તરત નીકળી પડ્યા. દેવગઢ ગામે તેઓ ગયા. છ વર્ષ સુધી તેમણે જનાર્દન પંતની સાચા હૃદયથી સેવા કરી. એક દિવસની વાત છે. તેમના ગુરુ જનાર્દન પંતે પૈસાનો હિસાબ કરી પાઈની ભૂલ શોધી કાઢવા કહ્યું. તેમને એક પાઈની ભૂલનો હિસાબ જડી ગયો. તેમને ખૂબ આનંદ થયો. તે દોડતાં દોડતા જઈ ગુરુજીને હિસાબ બતાવવા લાગ્યા. તેમનો આનંદ જોઈ ગુરુજીએ તેમને ટકોર કરી, સાંસારિક ભૂલો શોધવામાં આટલો આનંદ આવે છે તો સંસારમાં આપણાથી કેટલી ભૂલો થાય છે તે શોધશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. આટલી જ લગનથી ભગવાનમાં મન લગાવો.”
પૂર્વ જન્મનાં ઉદ્દાત્ત કર્મોથી થાય છે ભગવાનની પ્રાપ્તિ
બસ એકનાથજી તરત ભગવાનમાં મન લગાવી બેઠા. ગુરુ કૃપા તથા પૂર્વ જન્મનાં ઉદ્દાત્ત કર્મોથી તેમને બહુ જ ટૂંક સમયમાં ભગવાન દત્તાત્રેયનાં દર્શન થયાં. તેમણે આ વાત તટસ્થ ભાવે ગુરુજીને કહી. ગુરુજીએ તેમની પીઠ થાબડતાં કહ્યું કે, “જાવ હવે તમારો બેડો પાર છે. આજથી તમે ગુરુ દત્તાત્રેયને જ માનજો.”
એક વખત એક ગેબી સ્વરૂપે ભગવાન દત્તાત્રેયે તેમને દીક્ષા આપી કહ્યું કે, “હે ભક્તરાજ, જાવ પર્વત પર જઈ ભજન કરો. ધર્મનો પ્રચાર કરો.” એકનાથજી તરત ચાલી નીકળ્યા. તેઓ નાસિક જઈ ત્રંબકેશ્વર પહોંચ્યા. ચતુઃશ્લોકી ભાગવત પર તેમણે વ્યાખ્યા લખી. તે પછી તેઓ ચિત્રકૂટ પહોંચ્યા. ત્યાં તેમણે બંને ગુરુની કૃપાથી રઘુકુળ શિરોમણિ શ્રીરામ ભગવાનનાં દર્શન થયાં તેઓ હવે તેમનાં ગામ આવ્યા. તે વખતે તેમની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ. તેથી તેમનાં દાદા દાદીએ જનાર્દન પંત પાસે જઈ તેમનાં લગ્ન કરાવવાની રજા માગી. ગુરુએ રજા આપતાં એકનાથજીનાં લગ્ન ગિરિજાદેવી સાથે થયાં. તેમનાં પત્ની પણ ભક્તિવાળાં હતાં.