દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટેનો આજે દિવસ છે. આજે તમને જણાવીએ એવા કેટલાક મંત્રો વિશે કે જેનો ભોળાનાથને રીઝવવા માટે જાપ કરવાથી તમામ મનોકમનાઓ પૂરી થાય છે.
મહાદેવને પ્રસન્ન કરવા માટે આજે ખાસ દિવસ
રેક દેવતાઓ માંથી સૌથી વધુ સરળ સ્વભાવના છે મહાદેવ
જાણી લો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના મંત્રો
દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસે છે ખાસ- આ નાનું કામ કરવાથી જલ્દી જ પ્રસન્ન થઈ જશે મહાદેવ
આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને એ જ રીતે આજે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે એવું માનવામાં આવે છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા સરળ છે. તેમની આરધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ સોમવાર એટલે કે આજનો દિવસ ગણવામાં આવે છે. સાથે જ એવી પણ માન્યતા છે કે આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોળેનાથ દૂર કરી દેશે.
પૌરાણિક કથા અનુસાર દેવોના દેવતા ભોળેનાથ દરેક દેવતાઓ માંથી સૌથી વધુ સરળ સ્વભાવના છે અને એમને ખુશ કરવા માટે આજના દિવસે એમની વિશેષ પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને દરેક સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. સોમવારના દિવસે મહાદેવની આ રીતે પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે અને દરેક મનોકામના પણ જરૂરથી પૂર્ણ થશે . અમે તમને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે થોડા એવા મંત્રો જણાવી રહ્યા છીએ જેનો જાપ કરવાથી મહાદેવ તમારી પ્રાથના જરૂરથી સાંભળશે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના મંત્રો
શિવ નમસ્કાર મંત્ર - દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારે મહાદેવની પૂજા પહેલા આ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ.
મંત્ર -शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।।
ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।
પંચાક્ષરી મંત્ર -
સોમવારના દિવસે આઆ મંત્રનો શ્રધ્ધાપૂર્વક જાપ કરશો તો જીવનમાં આવેલ તમામ સંકટો, પરેશનીઓ અને સમસ્યામાંથી ચોક્સસપણે મુક્તિ મળશે .
મંત્ર -ॐ नम: शिवाय।
શિવ નામાવલી મંત્ર -
સોમવારે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે એમની પૂજા કરતા સમયે આ શિવ નામાવલી મંત્રોનો જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે .
મંત્ર -।। श्री शिवाय नम:।।
મંત્ર -।। श्री शंकराय नम:।।
મંત્ર -।। श्री महेश्वराय नम:।।
મંત્ર -।। श्री सांबसदाशिवाय नम:।।
મંત્ર -।। श्री रुद्राय नम:।।
મંત્ર -।। ओम पार्वतीपतये नम:।।
મંત્ર -।। ओम नमो नीलकण्ठाय नम:।।
મહામૃત્યુંજય મંત્ર
જો તમે કોઇ પણ રોગ કે બીમારીથી પીડાઈ રહ્યા હોય અથવા તો કોઇ દોષ કે સંકટનો સામનો કરી રહ્યા હોય તો આ એક મંત્રનો જાપ કરવાથી તમે જરૂર એ બીમારી અથવા સંકટથી રાહત મળશે.
મંત્ર -ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
શિવ ગાયત્રી મંત્ર -
જીવનમાં તમે કોઇ દોષ જેવા કે પિતૃ દોષ, કાલસર્પ દોષ, રાહુ કેતુ એમજ શનિની સાડાસાતીથી પરેશાન હશો તો આ એક મંત્રનો જાપ તમને એનાથી છુટકારો અપાવી શકે છે .
મંત્ર -।। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात ।।
લઘુ મહામૃત્યુંજય મંત્ર -
જે લોકોને મહા મહામૃત્યુંજયનો જાપ કરવામાં પરેશાની આવતી હોય એ લોકો એ લઘુ મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાચા મને આ મંત્રનો જાપ કરવાથી પણ જીવનમાં આવેલ નાની-મોટી બિમારીઓથી છુટકારો મળી શકે છે.
મંત્ર - ॐ हौं जूं सः