ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મૃત્યુ એક એવું સત્ય છે જેને તમે ટાળી પણ ના શકો અને દૂર પણ ના કરી શકો. જે મનુષ્યએ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પછી આત્માનું પુનર્જન્મ થાય છે તે પણ એટલું જ સત્ય છે પરંતુ શું તમે જાણો છો કે શબયાત્રા કે અંતિમ યાત્રા જોવાથી તમારી દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે.
અર્થીને પ્રણામ કરી કહો 'શિવ-શિવ'
- તમે કદાચ જોયું જ હશે કે જ્યારે પણ કોઇ શબયાત્રા કે અંતિમયાત્રા નિકળતી હોય ત્યારે રસ્તામાં આવતા-જતા લોકો તેને જોઇને પ્રણામ કરે છે અને 'શિવ-શિવ' અથવા તો 'રામ-રામ' બોલતા હોય છે.
- આ પાછળ શાસ્ત્રોક્ત માન્યતા છે કે જે મૃતાત્મા એ પોતાનું શરીર છોડ્યું છે તે પોતાની સાથે તેને પ્રણામ કરનારા તમામ લોકોના દુઃખો કષ્ટો અને અશુભ લક્ષણોને લઇ જાય છે.
તેની સાથે જ તે મૃત વ્યક્તિને 'શિવ' અર્થાત્ મુક્તિ મળે. આ નિયમ એવો છે જેને અનુસરવાથી વ્યક્તિને લાભ થાય છે અને ભટકતી આત્મને શાંતિ મળે છે.
બ્રાહ્મણની અર્થી ઉઠાવીને ચાલનારાને દરેક પગલે એક યજ્ઞ કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય
- શબયાત્રા કે અંતિમયાત્રા જોઇને ત્યાંથી પસાર થનારા લોકો થોડવાર રોકાઇ જાય છે અને ઇશ્વરને પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મનો એક પ્રમુખ નિયમ અનુસાર શબયાત્રાને જોયા પછી આપણે મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઇએ. તેનાથી મૃતાત્માને શાંતિ મળે છે. ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય જ્યોતિષ ભાષામાં પણ શબયાત્રાને જોવી શુભ ગણાય છે. માન્યતા અનુસાર જો કોઇ વ્યક્તિ શબયાત્રાને જુએ છે તો તેના અટવાયેલા કામ પાર પડવાની સંભાવના વધી છે. તેના જીવનના દુઃખ પણ દૂર થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.
- પુરાણો અનુસાર જો વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઉઠાવીને ચાલે તો તેને પોતાના દરેક પગલે એક યજ્ઞ કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માત્ર પાણીમાં ડૂબકી લગાવવાથી તેમના શરીરને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર જો કોઇ બ્રાહ્મણ કોઇ અન્ય બ્રાહ્મણના શબને પોતાના સ્વાર્થ માટે કાંધ આપે તો તે 10 દિવસો સુધી અશુદ્ધ રહે છે.