હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ રહ્યું છે. તુલસીનું ન માત્ર ધાર્મિક મહત્વ છે પરંતુ આયુર્વેદીક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલું છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. તુલસીને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. અહીં તુલસી સાથે જોડાયેલી પાંચ મહત્વપૂર્ણ બાબત વિશે જાણીશું.
1) તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે. એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે, તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.
2) જળમાં તુલસીદલ (તુલસીના પાન) નાંખી સ્નાન કરવું તીર્થસ્થળોમાં સ્નાન કરવા સમાન છે. ઉપરાંત તુલસી વાસ્તુદોષ દુર કરવા પણ સક્ષમ છે.
3) પ્રતિદિન તુલસીનું પૂજન કરવું અને છોડમાં જળ અર્પિત કરવું આપણી પરંપરા છે. જે ઘરમાં પ્રતિદિન તુલસીની પૂજા કરવામાં આવે છે. ત્યાં સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય બની રહે છે. ધનની ક્યારે અછત નથી સર્જાતી. આથી આપણે તુલસીનું પૂજન ખાસ કરવું જોઇએ.
4) ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો ઘરમાં કલેશ અને અશાંતિ દૂર થાય છે. ઘર-પરિવાર પર માં લક્ષ્મી જીની વિશેષ કૃપા બની રહે છે. એટલું જ નહી પ્રતિદિન દહીં સાથે ખાંડ અને તુલસીના પાનનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.
5) પૌરાણિક શાસ્ત્રો અનુસાર તુલસીના પાનના સેવનથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે. દહીં અથવા દૂધની સાથે તુલસીનું સેવન કરવાથી ઘણા પ્રકારના આયુર્વેદિક લાભ પ્રાપ્ત થાય છે. દિવસભર કાર્યમાં મન લાગે છે. માનસિક તણાવ રહેતો નથી, શરીર હંમેશા ઉર્જાવાન બની રહે છે.