ઘર અને મંદિરમાં પૂજા અને આરતી સમયે ઘંટડી વગાડવા માટે ખાસ કારણમાં ધાર્મિક અને વાતાવરણ સાથેનો સંબંધ જોવા મળી રહ્યો છે.
ઘંટડી વગાડવા પાછળ ધાર્મિક કારણ છે
પૂજા અને આરતી સમયે વગાડાય છે ઘંટડી
મંદિરમાં પ્રવેશ કરતી સમયે પણ વગાડાય છે ઘંટડી
મંદિરમાં પ્રવેશ સમયે ઘંટ વગાડવાનું રૂટિન બની ગયું છે. દરેક વ્યક્તિ ઘરમાં પણ નાની ઘંટડી રાખે છે. પૂજા અને આરતી સમયે તેને વગાડાય છે. ઘંટડી વિનાની આરતી અધૂરી માનવામાં આવે છે. વૈદિક કાળથી મંદિરમાં પૂજા પાઠ સમયે આ પરંપરા ચાલી આવી છે. પણ તમે જાણો છો કે ઘંટડી વગાડવાનું ધાર્મિક કારણ શું છે.
આ છે ઘંટડી વગાડવાનું ધાર્મિક કારણ
સ્કંધ પુરાણ અનુસાર ઘંટડી વગાડતા જે ધ્વનિ નીકળે છે તે ઓમની ધ્વનિ સમાન હોય છે. આ માટે માનવામાં આવે છે કે પૂજા પાઠ સમયે ઘંટડી વગાડવામાં આવે છે. તેનાથી ઓમના ઉચ્ચારણનું પુણ્ય મળે છે.
ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પૂજા સમયે ઘંટડી વગાડે છે તો દેવી દેવતાની સામે તે વ્યક્તિની હાજરી નક્કી થાય છે. સાથે ઘંટડી વગાડવાથી દેવતાની પ્રતિમામાં ચેતના જાગે છે અને ઉપાસના કરનારા વ્યક્તની પ્રાર્થનનાને ધ્યાનથી સાંભળવામાં આવે છે અને પૂજાનો પ્રભાવ વધે છે.
મંદિરમાં પ્રવેશ સમયે ઘંટડી હોય છે અને પ્રવેશ પહેલાં વગાડાતી ઘંટડી સાથે માન્યતા છે કે મંદિરમાં હાજર દેવતાની મંજૂરી લેવાની અને તેનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવા માટે વગાડાય છે.
ઘંટડી વગાડવા સાથે વાતાવરણનો પણ છે સંબંધ
આમ કરવાથી વ્યક્તિના મનમાં ધાર્મક ભાવનાઓ જાગે છે અને સાથે ઘંટડી વગાડવાથી વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે. ઘંટડીને વગાડવાથી વાતાવરણમાં કંપન થાય છે અને તેનાથી તે વિસ્તારમાંના હાનિકારક વિષાણુઓ, જીવાણુઓ અને સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. તેનાથી બીમારી થતી નથી અને આસપાસનું વાતાવરમ શુદ્ધ અને પવિત્ર થાય છે.
ઘંટડી વગાડવાથી નકારાત્મકતા કે નેગેટિવિટી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી વધે છે. એટલું નહીં ઘંટડી વગાડવાથી જે અવાજ આવે છે તેનાથી વ્યક્તિના મન, મસ્તિષ્ક પર ખાસ અસર થાય છે. અને સ્ટ્રેસ ઘટે છે.