બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:53 PM, 21 March 2025
સવારના સમયે સૌથી ખાસ હોય છે. કેમ કે સવારની શરૂઆત પર તમારો આખો દિવસ પર નિર્ભર છે. દરેક વ્યક્તિ હંમેશા એ વિચાર સાથે જાગે છે કે તેનો દિવસ શુભ અને સફળ રહે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતાં જ અમુક ચીજો જોવાથી આખો દિવસ સારો રહે છે. વાસ્તુમાં પણ અમુક એવી ચીજોનો ઉલ્લેખ છે કે જેને સવારે ઉઠતાં જ જોવી શુભ માનવામાં આવે છે. જોકે અમુક એવી ચીજો પણ છે જેને સવારે ઊઠતાવેત ન જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ચીજોને સવારે જોવાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. તો ચાલો આવી ચીજો વિશે જાણીએ.
ADVERTISEMENT
બંધ ઘડિયાળ
ADVERTISEMENT
સવાર ઉઠતાં જ જો તમને બંધ ઘડિયાળ દેખાઈ જાય, તો આ શુભ સંકેત નથી માનવામાં આવતો. વાસ્તુ અનુસાર, સવાર ઉઠતાં જ બંધ ઘડિયાળ જોવાથી તમારા કામ અટકી શકે છે કે જીવનમાં અડચણો આવી શકે છે. એટલા માટે ક્યારેય રૂમમાં બંધ ઘડિયાળ ન રાખો અને જો કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય, તો તેને જલ્દી રીપેર કરાવી લો કે પછી કાઢી નાખો.
સાવરણી અને કચરાપેટી
વાસ્તુ અનુસાર, સવારે ઉઠતાની સાથે જ સાવરણી અને કચરાપેટી જોવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. તેથી, સવારે ઉઠતાની સાથે જ તેમને એવી જગ્યાએ રાખો જ્યાં તેઓ દેખાતા ન હોય.
એઠાં વાસણો
સવારે ઉઠતા જ ક્યારેય એઠાં વાસણો ન જોવા જોઈએ. આનાથી ઘરમાં કંકાસ વધી શકે છે અને સ્વભાવ ચીડિયો થઈ શકે છે. એટલા માટે શકે હોય તો રાત્રે બધા જ એઠાં વાસણો સાફ કરીને જ સુવું જોઈએ.
પોતાનો પડછાયો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સવારમાં ઉઠીને પડછાયો જોવાનું પણ અશુભ માનવામાં આવે છે. પડછાયો જોવાથી દુર્ભાગ્ય બની જાય છે. પરછાયો જોવાથી આખો દિવસ તણાવ અને ચિંતામાં પસાર થાય છે.
વધુ વાંચો : દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર
અરીસો
સવારે આંખ ખુલ્યા બાદ તરત જ અરીસો ન જોવો જોઈએ. પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું શુભ નહિ માનવામાં આવતું. આનાથી સ્વાસ્થ્ય પર ખોટી અસર પડી શકે છે અને દિવસભર આળસ રહી શકે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.