ઘણીવાર એવું બને છે કે તમે ક્યાંક ઇન્ટરવ્યૂ આપો છો પરંતુ દરેક બાબતમાં પ્રથમ આવવા છત્તા આપને નોકરી મળતી નથી. તેથી આજે અમે આપને વાસ્તુ શાસ્ત્રમાં બતાવીશું કે જ્યારે આપ નોકરી માટે ઇન્ટરવ્યૂમાં આપવા જાઓ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
જ્યારે આપ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ અથવા કોઇ લાલ રંગનું કપડું જરૂર રાખો. જો તમારી પાસે કોઇ લાલ રૂમાલ નથી તો તમે લાલ રંગનો શર્ટ પણ પહેરી શકો છો. સામાન્ય પણ લાલ રંગને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે.
આ ઉપરાંત ઉત્તર દિશાની દિવાલ પર એક મોટો અરીસો લગાવવાને કારણે પણ વધુ સારી તક મળવાની સંભાવના વધી જાય છે.
અન્ય ઉપાય છે જે તમારે જરૂર ધ્યાનમાં રાખવો જોઇએ. જ્યારે પણ તમે ઘરેથી નીકળો ત્યારે સૌથી પહેલા તમારો જમણો પગ પહેલા બહાર મુકો. માત્ર ઇન્ટરવ્યૂ જ નહીં પરંતુ કોઇપણ શુભ કાર્ય માટે જતા પહેલા જમણો પગ પહેલા મુકવો જોઇએ.