શ્રાવણ શુક્લ પક્ષની પાંચમી તિથિને નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે શનિવાર અને નાગપંચમીનો સંયોગ છે. આજે યોગ્ય રીતે પૂજા કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળી શકે છે. જો તમે વાસ્તુ અનસાર યોગ્ય દિશામાં આજે નાગદેવતાની પૂજા કરો છો તો તમને અઢળક પુણ્ય મળે છે. આ સાથે જાણી શકશો કે તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ છે કે નહીં.
નાગપંચમી અને શનિવારનો સંયોગ
આજે વાસ્તુ અનુસારા કરો નાગદેવતાની પૂજા
કાલ સર્પ દોષથી છૂટકારો મેળવવાનો છે ખાસ ઉપાય
આ રીતે જાણો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ છે કે નહીં
દરેકની જન્મ પત્રિકામાં રાહુથી કેતુ સાતમા ખાનામાં હોય છે અને કાલ સર્પ દોષનો અર્થ છે આ તમામ ગ્રહો રાહુ અને કેતુની એક તરફ હોવા. જો તમારી કુંડળીમાં આવી સ્થિતિ છે તો તમે આજના ખાસ દિવસે નાગદેવતાની પૂજા કરો. આ સમયે તમારે ધ્યાન રાખવું કે જો કુંડળીમાં કાલ સર્પ દોષ નથી તો પણ આજે આ દિશાઓમાં યોગ્ય ક્રમમાં નાગદેવતાની પૂજા કરવાથી લાભ થશે. રાહુ અને કેતુ દરેક કુંડળીમાં હોય છે. તેમની શાંતિ માટે પણ યોગ્ય પૂજા જરૂરી છે.
રાહુ અને કેતુની શાંતિ માટે આ રીતે કરો પૂજા
રાહુ સર્પનું મુખ છે અને કેતુ સર્પની પૂંછ. કુંડળીમાં જે ખાનામાં રાહુ હોય તે દિશામાં નાગપંચમીની પૂજા કરવી. જો તમને કોઈ ભય છે અથવા તમારી કુંડળીમામં કાલ સર્પ દોષ છે અને તમે રાહુથી પીડિત છો તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમારે આઠ નાગની પૂજા કરવી પડશે. વાસુકિ, તક્ષક, કાલિય, મણિભદ્ર, એરાવત, ધૃતરાષ્ટ્ર, કર્કોટક અને ધનંજય.
આઠ નાગ અનુસાર આ દિશાઓમાં પૂજા કરવી જરૂરી
ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વમાં વાસુકી નાગની પૂજા કરવી.