બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ક્યારેક શિવ-પાર્વતીનું ઘર હતું બદ્રીનાથ ધામ, તો કેમ છોડવું પડ્યું? જાણો પૌરાણિક કથા

માન્યતા / ક્યારેક શિવ-પાર્વતીનું ઘર હતું બદ્રીનાથ ધામ, તો કેમ છોડવું પડ્યું? જાણો પૌરાણિક કથા

Last Updated: 03:06 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર ધામમાનું એક બદ્રીનાથ મંદિરને લઈ એક પૌરાણિક કથા છે. જેમાં જણાવાયું છે કે, કેવી રીતે ભગવાન વિષ્ણુએ લીલા કરીને બદ્રીનાથનું સ્થાન ભગવાન શંકર પાસેથી લઈ લીધું હતું. આજે તે કથા તમને જણાવીશું.

ઉત્તરાખંડના અલકનંદા નદીના કિનારે હિમાલયની ગોદમાં આવેલું બદ્રીનાથનું મંદિર ચાર ધામોમાં મુખ્ય ધામ છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુએ પોતે અહીં ધ્યાન કર્યું હતું. જ્યારે વિષ્ણુ ભગવાન જ્ઞાનની શોધમાં હિમાલય તરફ ચાલવા લાગ્યા ત્યારે તેમને રસ્તામાં એક સુંદર સ્થળ દેખાયું જે તેમને ધ્યાન માટે પસંદ કર્યું હતું. જ્યારે વિષ્ણુ ભગવાન ત્યાં ગયા અને જોયું તો ભગવાન શિવ અને માતા પાર્વતી પહેલેથી જ એક ઝૂંપડીમાં બેઠા હતા. ભગવાન વિષ્ણુ આ સ્થાન પર તપસ્યા કરવા માંગતા હતા. તેમને ડર હતો કે જો તે તપસ્યા માટે આ ઘર માંગશે તો ભગવાન શિવ ક્રોધિત થશે. ભગવાન શિવના ક્રોધને કારણે તેઓ આ સ્થાન માંગવા માંગતા ન હતા. ભગવાન વિષ્ણુએ મહાદેવ પાસેથી આ સ્થાન માંગવા એક ઉપાય વિચાર્યો હતો.

  • ભગવાન વિષ્ણુએ બાળકનું રૂપ કર્યું ધારણ

ભગવાન વિષ્ણુ બાળકના રૂપમાં ઝૂંપડીની સામે પ્રગટ થયા અને રડવા લાગ્યા. બાળકનો રડવાનો અવાજ સાંભળીને, દેવી પાર્વતી દયાભાવથી તેની તરફ દોડ્યા અને બાળકને ઉપાડવા લાગ્યા. શિવના ઇનકાર બાદ પણ પાર્વતીએ સાંભળ્યું નહીં અને શિવને નિર્દયી કહીને બાળકને ખોળામાં લઈને ઘરની અંદર ગયા. બાળકને દૂધ પીવડાવ્યા બાદ તેને સુવડાવી દીધું. ત્યાર બાદ શિવ અને પાર્વતી નજીકના તપ્ત કુંડમાં સ્નાન માટે ગયા.

  • ભગવાન વિષ્ણુએ દરવાજો કર્યો બંધ

સ્નાન કરીને પાછા ફર્યા બાદ મહાદેવે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. માતા પાર્વતીએ તે બાળકને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ મહાદેવ ના પાડી રહ્યા હતા. ભગવાન વિષ્ણુની આ લીલા બાદ મહાદેવ ત્યાંથી પ્રસ્થાન કરવા લાગ્યા. પ્રસ્થાન બાદ તે કેદારનાથ પહોંચ્યા. ત્યારથી કેદારનાથ ભગવાન ભોલેનાથનું નિવાસસ્થાન બન્યું અને બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બન્યું.

વધુ વાંચો : ભાવનગરનું દેવનાથ મહાદેવ મંદિર એટલે મીની કેદારનાથ, જ્યાં ભક્તોની ઈચ્છાપૂર્તિ કરે છે ભોળાનાથ

  • ભગવાન વિષ્ણુએ છળથી લીધું મહાદેવનું ઘર
    સમય સમય પર પોતાની લીલાઓ બતાવનાર વિષ્ણુ ભગવાન માતા પાર્વતી અને ભોલેનાથ પાસેથી બાળકના રૂપમાં આવીને છળ કરીને આ ઘર મેળવ્યું હતું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. ત્યાર બાદથી આ સ્થાનને બદ્રીનાથ ધામ કહેવામાં આવ્યું.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath Temple Lord Vishnu Lord Shiva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ