બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:33 PM, 24 April 2025
અખાત્રીજ એટલે કે, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલે આવશે. આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમય શોધવાની જરૂર નથી હોતી. તેને સર્વાર્થ સિદ્ધિનો દિવસ માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્ય સફળ થાય છે અને શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્ય દેવ, લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, જે જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લક્ષ્મી માતાની સાથે, ધનના દેવતા કુબેરની પણ યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં પાણી ભરો. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે અને મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે.
અક્ષય તૃતીયા પર મુખ્ય પ્રવેશદ્વાર, તિજોરી, પ્રાર્થના ખંડ, રસોડું અને તુલસી પાસે દીવો ચોક્કસ પ્રગટાવો. આ ઉપાયથી ઘરમાં લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે. તથા નાણાકીય લાભ થવાની શક્યતા પણ હોય છે.
અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગોળ, ચોખા, સોનું, ઘી, પાણી અને કપડાંનું દાન કરો. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.