કહેવાય છે કે શનિવારે પૂજા અર્ચનાનું ફળ વિશેષ મળે છે. જો શનિવારે શનિદેવની પૂજા અને કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો શનિની અશુભ સ્થિતિ અને સાડાસાતીમાં રાહત મળી શકે છે. શનિ દેવને ન્યાયના દેવ માનવામાં આવે છે અને તે કર્મોના આધારે ફળ આપે છે તેમ માનવામાં આવે છે જો તમે પણ શનિની સાડાસાતીથી રાહત મેળવવા ઈચ્છો છો તો આજે આમાંથી શક્ય તેટલા ખાસ ઉપાયો કરી શકો છો.
શનિ દેવ ન્યાયના દેવતા છે
સાડાસાતી અને ઢૈય્યાથી રાહત મેળવવા કરો આ ખાસ ઉપાય
શનિવારે શનિદેવની પૂજાથી મળે છે મોટી રાહત
શનિવારે કરો આ ખાસ ઉપાયો
શનિના ખરાબ પ્રભાવને દૂર કરવા કાળી ચીજો જેમકે કાળા ચણા, કાળા તલ, કાળી અડદની દાળ અને કાળા કપડાંનું ગરીબ કે જરૂરિયાતમંદને દાન કરો. સાથે શનિદેવનું વિશેષ પૂજન અર્ચન કરો.
આજના દિવસે પીપળાના મૂળમાં સરસોના તેલનો દીવો કરો. જેમને સંતાન સંબંધી ચિંતા છે તેઓ એક પત્થર લઈને તેની પર કાળો રંગ કરીને પીપળાના ઝાડ નીચે મૂકી આવો. તેની પર સરસિયાનું તેલ ચઢાવો અને હાથ જોડીને નમન કરી શનિદેવના 108 નામનું સ્મરણ કરો. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા દૂર થશે.
ઓફિસમાં સાથી કર્મચારીઓની સાથે બનાવી રાખવા ઈચ્છો છો તો શનિ મંદિરમાં સરસિયાના તેલનું દાન કરો. સાથે શનિદેવના મંત્ર 'शं ऊँ शं नमःનો 21 વાર જાપ કરો. આજે આમ કરવાથી ઓફિસમાં કર્મચારીઓનો સહયોગ મળશે.
19 હાથ જેટલો લાંબો કાળો દોરો લઈને તેની માળા બનાવો અને શનિદેવને ચઢાવો. થોડી વાર પછી આ દોરાની માળા તમારા ગળામાં પહેરો. તમે ઈચ્છો તો તેને જમણા હાથમાં પણ બાંધી શકો છો. તેના પ્રયોગથી શનિનો પ્રકોપ ઘટશે.
સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો એક કાંસાની વાટકીમાં સરસિયાનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જોઈને શનિનું દાન લેવા આવનાર વ્યક્તિને વાટકી સાથે દાન કરો. સ્ટીલની વાટકીમાં પણ આ પ્રયોગ કરી શકો છો. આજે આ ઉપાય કરવાથી તમારી ઈચ્છા પૂરી થશે.
તમે એક ખુશહાલ જીવન ઈચ્છો છો તો પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરી શનિ મંત્ર 'ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:નો 21 વાર જાપ કરો. તેનાથી દરેક મુસીબતો દૂર થશે અને જીવન સુખમય બનશે.
શનિની ખરાબ અસર દૂર કરવા કાળી ચીજો કાળા ચણા, કાળા તલ, કાળી અડદની દાળ અને કાળા કપડાંનું દાન કરો. તેની સાથે શનિદેવનું દર શનિવારે વિશેષ પૂજન કરો.
દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે આજે કાગડાને રોટલી ખવડાવો અને શનિદેવના મંત્ર 'शं ह्रीं शं शनैश्चराय नमः।'નો 11 વાર જાપ કરો. આમ કરવાથી પણ તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે.
માનસિક બાબતોમાંથી રાહત મેળવવા માટે દર શનિવારે ગોળ અને નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને પીપળાના ઝાડ નીચે રાખો. માનસિક શાંતિ મળશે.
તમારી કુંડળીમાં શનિ દોષ છે તો શનિવારે તેલનું દાન કરવાથી રાહત મળશે. એક વાટકીમાં સરસિયાનું તેલ લઈ તમારો ચહેરો જોઈને શનિનું દાન લેવા આવનાર વ્યક્તિને વાટકી સાથે દાન કરો.