કેટલાક ઉપાય એવા હોય છે જેના વિશે સાંભળીને માનવામાં નથી આવતું કે તે અસર કરશે, પણ હકીકતમાં આવા ઉપાયો જબરદસ્ત અસરકારક અને ફાયદાકારક હોય છે. આજે અમે તમને એવા જ એક ખાસ ઉપાય વિશે જણાવીશું.
આ ઉપાય કરી લેશો તો ઘણી સમસ્યાઓ થઈ જશે દૂર
વાળ ખરતાં રોકવા હોય તો આ ઉપાય કરો
કબજિયાતથી પરેશાન લોકો માટે બેસ્ટ છે આ ઉપચાર
ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે જો કેટલાક નાના-નાના ઉપાય કરી લેવામાં આવે તો ખૂબ જ ફાયદા મળી શકે છે. એવો જ એક ઉપાય છે રોજ રાતે સૂતી વખતે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાખવા. ચાલો જાણીએ તેના ફાયદા.
હોઠ માટે
જે લોકોના હોઠ વારંવાર ફાટી જતાં હોય અથવા કોઈપણ સીઝનમાં હોઠ ફાટવાની તકલીફ રહેતી હોય તો નાભિમાં રોજ ઘી નાખવાથી આ સમસ્યા દૂર થાય છે અને હોઠ એકદમ સોફ્ટ, ગુલાબી અને કોમળ બને છે.
વાળ ખરતા બંધ થઈ જશે
શરીરમાં પોષક તત્વોની કમીને કારણે પુષ્કળ પ્રમાણમાં વાળ ખરવા લાગે છે. જેથી જો તમે રોજ નાભિમાં ભૂલ્યા વિના ઘી લગાવશો તો આ સમસ્યાથી કાયમી છુટકારો મળી જશે.
કબજિયાત
નાભિમાં ઘી નાખવાથી હઠીલી કબજિયાત દૂર થાય ઠે. આ સિવાય પેટથી જોડાયેલી સમસ્યાઓમાં પણ લાભ થાય છે.
ઘૂંટણનો દર્દ
નાભિમાં રોજ ઘી નાખવાથી તે શરીરમાં એબ્સોર્બ થઈ જાય છે. આ ઉપાય રોજ કરવાથી ઘૂંટણનો દુખાવો અને સોજાની સમસ્યા પણ દૂર થાય છે. ઘીમાં પેઈન રિલીવિંગ ઈફેક્ટ હોય છે. સાથે જ એન્ટીઈન્ફ્લેમેશનનું પણ કામ કરે છે. આ શરીરના દુખાવામાં પણ રાહત આપે છે.
આ રીતે કરો ઉપયોગ
રોજ રાતે સૂતા પહેલાં ઘીને નવશેકું ગરમ કરી લો. ત્યારબાદ ઘીના 2-3 ટીપાં નાભિમાં અને તેની આસપાસ લગાવીને 5 મિનિટ મસાજ કરો.