જો તમે પણ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં 5 ફેરફાર કર્યા છે. આ નિયમો તમામ કાર્ડ હોલ્ડર્સને માટે લાગૂ થશે. આ નિયમો જાન્યુઆરીમાં જાહેર થયા હતા. કોરોના મહામારીના કારણે RBIએ કાર્ડ હોલ્ડર્સને આ માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
RBIએ બદલ્યા છે આ 5 નિયમો
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો માટે છે ખાસ સમાચાર
RBIએ નિયમોને 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવ્યા
RBIએ બંકોને કહ્યુ છે કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જાહેર કરતી સમયે ગ્રાહકોને ઘરેલૂ ટ્રાન્ઝેક્શનની પરમિશન આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જો જરૂર ન હોય તો એટીએમથી રૂપિયા કાઢતા અને પીઓએસ ટર્મિનલ પર શોપિંગ માટે વિદેશી ટ્રાન્ઝેક્શનની પરમિશન ન આપે.
આંતરરાષ્ટ્રિય લેનદેન, ઓનલાઈન લેનદેન અને કોન્ટેક્ટલેસ કાર્ડથી લેવડ દેવડ કરવી. ગ્રાહકો માટે અલગથી પ્રાથમિકતા નક્કી કરવી. એટલેકે ગ્રાહકોને જરૂર હશે તો જ આ સર્વિસ તેમને આપવામાં આવશે. આ માટે ખાતેદારોએ અરજી કરવાની રહેશે.
અત્યારે જે કાર્ડ્સ ચાલી રહ્યા છે તેમાં જાહેર કર્તાના જોખમની ધારણાના આધારે નિર્ણય લેવાશે. એટલે કે તમે તમારા કાર્ડથી ઘરેલૂ ટ્રાન્ઝેક્શન ઈચ્છો છો કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન તે નિર્ણય તમારે પોતે લેવાનો રહેશ. આ માટે કઈ સર્વિસ એક્ટિવેટ કરવી છે અને કઈ ડિએક્ટિવેટ તે અંગે પણ તમારે નિર્ણય લેવો પડશે.
ગ્રાહક 24 કલાક અને 7 દિવસ પોતાના ટ્રાન્ઝેક્શનની લિમિટને ગમે ત્યારે બદલી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા એટીએમ કાર્ડને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ મશીન પર જઈને આઈવીઆરની મદદથી ક્યારેય પણ ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી શકો છો.
RBIની તરફથી જાહેર કરાયેલા એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમો 30 સપ્ટેમ્બર 2020થી લાગૂ કરાશે.