મહાનગર પાલિકા -રાજકોટએ ફાયર N.O.C માટેના કેટલાક નિયમોને નાબુદ કરી દેતા બિલ્ડરોને મોત હાશકારો થયો છે.આમાતે પહેલા બહુમાળી બિલ્ડીંગમાં બે સીડી ફરજીયાત હતી.હવે એક પણ માન્ય.
રાજકોટ મહાપાલિકાના કેટલાક નિયમોમાં ફેરફાર
ફાયર N.O.C.માટે બહુમાળીમાં બે ના બદલે 1 સીડી
સ્થાનિકોની રજુઆતના પગલે જુનો એકટ અમલી
મહાનગર પાલિકા -રાજકોટએ ફાયર N.O.C માટેના કેટલાક નિયમોને નાબુદ કરી દેતા બિલ્ડરોને મોત હાશકારો થયો છે. ફાયર N.O.C.માટે બહુમાળી બિલ્ડીંગમાં બે સીડી ફરજીયાત હતી તે હવે માત્ર 1 સીડી હશે તો પણ માન્ય રખાશે. જેવા બે ત્રણ નાના-મોટા ફેરફારો કરાયા છે. જે બિલ્ડરો માટે રાહતરૂપ છે.
બહુમાળી બિલ્ડીંગમાં બે સિડી હતી ફરજીયાત
સરકારના તા.22-01-2021ના નોટિફિકેશન પ્રમાણે નેશનલ બિલ્ડીંગ કોટ પાર્ટ-4 પ્રમાણે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં બે સિડી ફરજીયાત હતી. જે બાબતે સ્થાનિક બિલ્ડરોની રજુઆત અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં જે અંતર્ગત રજુઆત કરવામાં આવેલ. જેના અનુંસધાને સરકાર દ્વારા જણાવેલ હાલ જયાં સુધી ફાયર રેગ્યુલેશન 2021 અમલમાં ન આવે ત્યાં સુધી ફાયર રેગ્યુલેશન 2016 અને 2018 મુજબની અમલવારી કરવા જણાવેલ છે.આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ફાયર કમીટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા એક યાદીમાં જણાવાયું છે.
જેનાથી હાલ જેટલા પણ બિલ્ડીંગ પ્લાન ફાયર સર્વિસમાં ઈન્વર્ડ કરવામાં આવશે જે એક જ સીડીમાં મંજુર કરવામાં આવશે.આ ઉપરાંત ફાયર N.O.C.નો સમયગાળો એક વર્ષનો હતો જે હવે ન્યુ ફાયર N.O.C.હોય તો તેમની વેલીડીટી-03 વર્ષની અને રીન્યુઅલ હશે તેની 02 વર્ષની વેલીડીટીનો સમયગાળો કરવામાં આવેલ છે. જેનાથી લોકોને વારંવાર પ્રતિ વર્ષના સમયગાળામાંથી મુક્તિ મળી છે. આ નિર્ણય થવાથી ઘણા બાંધકામો વિલંબમાં પડેલ જે આગળ વધી શકશે જેનાથી રોકાણકારોને મોટો હાશકારો અનુભવાશે