નોંધનીય છે કે, પીએમ મોદીને પત્ર લખનાર 49 સેલિબ્રિટીઝ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમા રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અનુરાગ કશ્યપ અને અપર્ણા સેન જેવા સેલેબ્સ સામેલ છે. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોબ લિન્ચિંગ પર ચિંતા દર્શાવતા ખુલ્લો પત્ર લખ્યો હતો.
આ કેસનું સુપરવિઝન ખુદ મુઝફ્ફરપુરના એસએસપી મનોજ કુશવાહાએ કર્યું. એમણે આ આખા મામલાને તથ્યહીન, પાયાવિહોણી, પુરાવા વિનાનો અને દુર્ભાવનાપૂર્ણ બતાવ્યો છે. બિહાર પોલીસના એડીજી મુખ્યાલય જિતેન્દ્ર કુમારે કહ્યું કે, આ મામલામાં ફરિયાદ કરનાર સુધીર ઓજ્ઞા વિરુદ્ધ આઇપીસીની કલમ 182/ 211 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
જોકે, સ્થાનીય પોલીસને આવતા મહીના સુધીમાં પોતાની તપાસ વિશે કોર્ટેને અવગત કરાવવાનો આદેશ આપ્યો હતો. બિહારના પોલીસ ડારેક્ટર જનરલ ગુપ્તેશ્વર પાન્ડે કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે આ મામલામાં કોઇ ડરવાની કોઇ જરૂર નથી. ત્યારબાદ એમણે જલ્દી જ મામલાની દેખરેખ કરાઇ. નિશ્ચિત રૂપે આ સમાચાર બાદ આ મામલાથી પ્રભાવિત તમામ લોકો રાહતનો શ્વાસ લેશે. જોકે, સુધીર ઓજ્ઞાના મોટાભાગના મામલાઓમાં આમ જ બનતુ આવ્યું છે.