મંગળવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોની બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારીઓને હડતાળ સમેટવા માટે 3 દિવસનો સમય આપવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે બુધવારે રાજકોટ યાર્ડની હડતાલ સમેટાઈ છે.
રાજકોટ યાર્ડની હડતાલ સમેટાઈ
આવતીકાલે સવારથી હરાજી શરૂ થશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુરૂવારથી શરૂ થશે
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે.રાજકોટના માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે બેડી માર્કેટ યાર્ડને ફરીથી શરૂ કરવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય કરાયો છે. રાજકોટની બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઇ જતા હવે ગુરૂવાર સવારથી હરાજી શરૂ થઇ જશે. 9 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં હડતાલ હતી. દલાલ મંડળના આગેવાનોનો મુખ્યમંત્રી સાથે વાત કર્યાનો દાવો. રાજકોટ યાર્ડના સત્તાધીશોના આકરા વલણ બાદ દલાલ મંડળ કૂણુ પડ્યું છે.
ગુરૂવારથી યાર્ડમાં જણસીઓની હરાજી ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જાહેર કરી છે. જોકે વેપારીઓ અને કમિશન એજન્ટ અંગે હજુ પણ સસ્પેન્સ છે.
યાર્ડના સત્તાધીશોની લાલ આંખ બાદ બદલાયા સૂર
રાજકોટ બેડી માર્કેટ યાર્ડને ફરીથી શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડ શરૂ થતા પહેલા જ સૌરાષ્ટ્ર APMCના પ્રમુક અતુલ કામાણીએ પલટી મારી હતી. અતુલ કામાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જે કેસ થયા તેને પરત ખેંચવા તે મુશ્કેલ છે. હવે કોઈ મધ્યસ્થી નિર્ણય કરે તેવુ અમે ઈચ્છીએ છીએ.