ગુજરાત સરકારે વકીલોની સહાય માટે રૂ.5 કરોડની રકમ ફાળવી છે. ગુજરાત બાર કાઉન્સિલને ગુજરાત સરકાર દ્વારા આ રકમનો ચેક આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારએ વકીલોને રાહત આપી
5 કરોડનો ચેક સરકારે આપ્યો
વકીલોની વેલ્ફેર પ્રવૃત્તિ માટે મળશે લાભ
રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર આવ્યા છે. વેલ્ફેર માટે રાજ્ય સરકારે 5 કરોડની ફાળવણી કરી છે. 5 કરોડનો ચેક સરકારે ગુજરાત બાર કાઉન્સિલને આપ્યો છે. 90 હજારથી વધુ વકીલોની વેલ્ફેર પ્રવૃત્તિ માટે લાભ મળશે.