બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Relief news for farmers: e-KYC date extended for beneficiaries of PM Kisan Yojana

ખુશખબર / ખેડૂતો માટે રાહતના સમાચાર: PM Kisan Yojanaનાં લાભાર્થીઓ માટે e-KYCની તારીખ લંબાવાઈ

Megha

Last Updated: 03:58 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સરકારે ઇ-કેવાયસી કરાવવાની તારીખમાં વધારો કર્યો છે. તો જે લોકોએ જુલાઇ મહિનામાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી કરી તેની પાસે હજુ થોડો સમય છે.

  • દર વર્ષે ત્રણ હપ્તાના રૂપમાં 2-2 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે 
  •  e-KYC વગર 12 હપ્તો અટકાઈ જશે. 
  • 31 જુલાઇ 2022 સુધીની એ તારીખ હવે લંબાવાઇ છે.

ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે દેશમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. દેશમાં દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તાના રૂપમાં 2-2 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે.

12 મો હપ્તો
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં 12માં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં નાખી શકે છે.  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલાવવામાં આવ્યો હતો. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. જે ખેડૂતોએ કેવાયસી કરવી લીધું છે એમને જલ્દી જ 12 મો હપ્તો પણ મળી રહેશે. 

છેલ્લી તારીખ નીકળી ગઈ 
સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે. તેથી જે ખેડૂતોએ 31 જુલાઈ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોતાનું ઈ-કેવાયસી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને 12મા હપ્તાનો લાભ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે હવે સરકારે ઇ-કેવાયસી કરાવવાની તારીખમાં વધારો કર્યો છે. તો જે લોકોએ જુલાઇ મહિનામાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી કરી તેની પાસે હજુ થોડો સમય છે. 

સરકારે નવી તારીખની જાહેરાત કરી  
સરકારે ફરી એક વખત પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 31 જુલાઇ 2022 સુધીની એ તારીખ હવે 31 ઓગસ્ટ સુધી લંબાવાઇ છે. જો તમે હજુ સુધી ઇ-કેવાયસી નથી કરાવ્યું તો હવે તમે 31 જુલાઇ સુધી કરાવી શકો છો. 

કેવી રીતે કરાવવું e-KYC
આપને જણાવી દઈએ કે,  e-KYC વગર આપનો હપ્તો અટકાઈ જશે. 
આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન માટે કિસાન કોર્નરમાં ઈકેવાઈસી વિકલ્પ પર ક્લિક કરો
બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના સીએસસસી કેન્દ્રમાં સંપર્ક કરો
આપ તેને ઘરે બેઠા જ પોતાના મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી તેને પુરુ કરી શકશો.
તેના માટે સૌથી પહેલા આપ https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ
ડાબી બાજૂ પર આપને આવા પ્રકારના ટેબ્સ મળશે. સૌથી ઉપર  e-KYC લખેલું મળશે. તેના પર ક્લિક કરો.

સંકળાયેલા મુદ્દાઓ

PM kisan yojana Pm Kisan Yojana Update e-KYC કિસાન સન્માન નિધિ યોજના pm kisan yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ