અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે. ગઈકાલથી વાદળછાયું વાતાવરણ છવાતા ગરમીમાં ઘટાડો થયો છે. ગરમી ઘટતા શહેરીજનોને થોડી રાહત મળી છે અને લોકો હવે આકાશ તરફ મીટ માંડી મેઘરાજાની વાટ જોઈ રહ્યા છે.
જોકે વાતાવરણના પલટાને લઇને કેરાલા મુંબઈ બાદ અમદાવાદીઓ અને સમગ્ર ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકાદ બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં મધ્યાહને 40 ડિગ્રીથી ઘટીને તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેરાલા અને મુંબઈમાં મેઘરાજા વરસ્યા છે જ્યારે વાદળછાયા વાતાવરણના કારણે ગુજરાતીઓએ ગરમીથી રાહત મેળવી છે પણ વરસાદ ન આવતા લોકો હજુ પરેશાન છે ખેડૂતો પણ આકાશ સામે નજર કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકાદ-બે દિવસમાં જ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે.