ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ટેન્શન વધ્યું છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત
એક દિવસમાં 2900 પોઝિટિવ કેસ નોંધાયા
ગ્રામ્ય વિસ્તારમાં ભારે કહેર
ગુજરાતમાં કોરોનાનો ચિતાર
ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઇ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે. આટલું જ નહીં રાજ્યમાં પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં 1,39,614 એક્ટિવ કેસ, 786 વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રમાં કોરોના કેસોએ ચિંતા વધારી છે. જ્યાં એક તરફ સુરતમાં કોરોનાથી રાહત મળી રહી છે ત્યાં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 2900 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સોમનાથ, મોરબી, પોરબંદર જિલ્લામાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 395 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ઉપલેટામાં 100 કેસ, ધોરાજીમાં 70 કેસ તથા જેતપુરમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (9 મે, 2021)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે.