બિનજરૂરી કોલ અને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સરકાર ખાસ પ્રકારના એપ વિકસિત કરશે જે રાહત આપશે.
સરકાર કરી રહી છે આ તૈયારી
બિનજરૂરી કોલ અને ઓનલાઈન ફ્રોડથી બચી શકાશે
ખાસ પ્રકારના એપ વિકસિત કરશે જે રાહત આપશે
સરકાર ડિજિટલ વ્યવસ્થામાં ગ્રાહકોનો ભરોસો વધારવા માટે અનેક સુધારા કરવાની તૈયારીમાં છે. જેના આધારે ગ્રાહકોને બિનજરૂરી કોલ અને ઓનલાઈન ફ્રોડથી રાહત મળે તેવી વ્યવસ્થા કરાશે. એવા ખાસ એપ વિકસિત કરાશે જેના માધ્યમથી ગ્રાહક ટેલિકોમ કંપનીઓના બિનજરૂરી કોલ, એસએમએસ અને નાણાંકીય મુશ્કેલીથી બચી શકશે. સોમવારે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
દેશમાં ખૂબ જ વધી રહ્યું છે નાણાંકીય ફ્રોડ
નાણાંકીય દગાખોરીના કિસ્સા દેશમાં સતત વધી રહ્યા છે. મોબાઈલ ફોન પર લિંક મોકલીને કે પછી ઈમેલની મદદથી બેંક ખાતામાં ઘૂસ મારવાની ઘટનાઓ વધી રહી છે. પ્રસાદની અધ્યક્ષતામાં બેઠકમાં કર્મશિયલ કોલની સંખ્યા વધવાની વાત રજૂ કરાઈ. અઘિકારીઓએ કહ્યં કે ગ્રાહકો દ્વારા ડુ નોટ ડિસ્ટર્બ લખ્યું હોવા છતાં આ લોકો મેસેજ અને કોલ કરે છે. આવી કંપનીઓની વિરુદ્ધમાં મંત્રીએ દંડ અને કાયદાકીય જોગવાઈ કરવાનું સૂચન કર્યું છે. નિર્દેશમાં કહેવાયું છે કે નિયમનું ઉલ્લંઘન કરનારી ટેલી માર્કેટિંગ કંપનીના કનેક્શન પણ કાપી લેવાશે.
આ રીતે રોકી શકાશે બિનજરૂરી કોલ અને નાણાંકીય દગાખોરી
પ્રસાદે કહ્યું કે ડિજિટલ દગાખોરીની મદદથી મોટી કમાણી જે બેંક ખાતાથી કાઢવામાં આવી રહી છે તેની પર તત્કાલ રોક લગાવી દેવી. તેઓએ આદેશમાં એમ પણ કહ્યું કે આ યૂનિટ નક્કી સમય સીમામાં નાણાકીય દગાખોરીના કેસને નિપટાવવાનું કામ કરશે. આ સાથે ટેલિકોમ ગ્રાહકોના અધિકારોના હિતની રક્ષા કરવા માટે ટેલિકોમ એનાલિસિસ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન પ્રણાલી વિકસિત કરાશે.