નાગરિક ઉડ્ડયન મંત્રીએ લોકસભામાં કહ્યું કે અદાણી ગ્રુપની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને ત્રણ એરપોર્ટના સંચાલનની જવાદારી લેવા માટે 90 દિવસનો સમય આપવાનો નિર્ણય કર્યો છે.
દેશના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિને મોટી રાહત
મોદી સરકારે આ કામ માટે આપી મોટી રાહત
અદાણી ગ્રુપને 90 દિવસનો આપવામાં આવ્યો સમય
દેશના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે રાહતની ખબર સામે આવી છે. સરકારે અદાણી ગ્રુપની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ત્રણ એરપોર્ટને ટેકએવર કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે લોકસભામાં આ જાણાકારી આપી હતી.
માંગ્યો હતો 6 મહિનાનો સમય
હકીકતે અદાણી ગ્રુપની નીલામી પ્રક્રિયા દ્વારા દેશના 6 એરપોર્ટના સંચાલનની લોબી જીતી હતી. તેમાંથી 3 એરપોર્ટના સંચાલનની જવાબદારી અદામી એરપોર્ટ હોલ્ડિંગ્સે લીધી હતી. અત્યારે ત્રણ એરપોર્ટ્સના સંચાલનની જવાબદારી લેવાની બાકી છે. કોરોનાને જોતા આ ત્રણ એરપોર્ટ્સના સંચાલનની જવાબદારી સંભાળવા માટે અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સને ડિસેમ્બર 2021 સુધી 6 મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ સરકારે હવે 90 દિવસનો સમય આપી દીધો છે.
આ 6 એરપોર્ટના સંચાલનની જવાબદારી હતી
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને જે 6 એરપોર્ટ્સના સંચાલનની જવાબદારી મળી હતી તેમાં લખનૈઉ, અમદાવાદ, મેંગલુરૂ, જયપુર, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ એરપોર્ટનો સમાવેશ થાય છે. તેમાંથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને અમદાવાદ, લખનૈઉ અને મેંગલુરૂના સંચાલનની જવાબદારી લીધી છે. ત્યાં જ જયપુર, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમના સંચાલનની જવાબદારી લેવાની બાકી છે. તેમાંથી ત્રણ એરપોર્ટના સંચાલનની જવાબદારી માટે અદાણી હોલ્ડિંગને 90 દિવસનો સમય મળ્યો છે.