કોરોના સંકટના કારણે છેલ્લા 6 મહિનાથી અર્થતંત્રને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં આશરે 6 ટકાનો વધારો નોંધાયો હતો. કોરોના સંકટનો સામનો કરી રહેલા અર્થતંત્ર માટે આ એક સારા સમાચાર છે. સતત છ મહિના સુધી નિકાસમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ સામાન અને રેડીમેડ વસ્ત્રોને કારણે કુલ નિકાસમાં વધારો થયો છે.
સપ્ટેમ્બરમાં નિકાસમાં લગભગ 6 ટકાનો થયો વધારો
કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રને મળી મોટી રાહત
આયાતમાં જોવા મળ્યો મોટો ઘટાડો
કોરોના સંકટના કારણે છેલ્લા 6 મહિનાથી અર્થતંત્રને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં આશરે 6 ટકાનો વધારો નોંધાયો હતો. સતત છ મહિના સુધી નિકાસમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ સામાન અને રેડીમેડ વસ્ત્રોને કારણે કુલ નિકાસમાં વધારો થયો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ 5.9 ટકા વધીને 27.58 અબજ ડોલર થઈ છે. સપ્ટેમ્બરમાં, દેશની આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર થઈ છે.
સરકારી આંકડા પર એક નજર
ગુરુવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ 5.99 ટકા વધીને 27.58 અબજ ડોલર સુધી પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર 2019માં કુલ નિકાસ 26.02 અબજ ડોલરની હતી. તો અન્ય તરફ સપ્ટેમ્બર 2020માં દેશની આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર થઈ છે. જો કે, એક વર્ષ પહેલા સમાન મહિનામાં તે 37.69 અબજ ડોલરની જોવા મળી હતી.
સૌથી વધુ આયર્નની નિકાસમાં થયો વધારો
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં આયર્નની નિકાસ 109.65 ટકા વધીને 30.34 મિલિયન ડોલર પહોંચી છે તો રેડીમેડ વસ્ત્રોની નિકાસ 10.22 ટકા વધીને 1.19 અબજ ડોલર અને ચોખાની નિકાસ 93.86 ટકા વધીને 72.51 ડોલર સુધીની થઈ છે. આ જ ક્રમમાં દવાઓ અને દવાઓની નિકાસ 24.38 ટકા વધીને 2.24 અબજ ડોલર પહોંચી ચૂકી છે. આ તમામ ચીજોમાં વધારાની સાથે અનાજ અને ચોખાની નિકાસમાં પણ વધારો થયો છે.
સોનાની આયાતમાં આવ્યો ભારે ઘટાડો
સપ્ટેમ્બરમાં વેપાર ખાધમાં ઘટાડો જોવા મળ્યો છે. તે હવે 2.72 અબજ ડોલર થઈ છે, જે એક વર્ષ પહેલાં આ મહિનામાં 11.67 અબજ ડોલરની હતી. સમીક્ષા હેઠળના મહિનામાં સોનાની આયાત લગભગ 53 ટકા ઘટતી જોવા મળી છે. તે 60.14 કરોડ ડોલરની રહી છે.
ચાલુ વર્ષના પહેલાં 6 મહિનામાં એટલે કે એેપ્રિલથી સપ્ટેમ્બરની નિકાસની વાત કરીએ તો આ સમયે 16.66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 221.86 અરબ ડોલરની થઈ છે. જ્યારે આયાત 35.43 ટકા ઘટીને 204.12 અબજ ડોલરની થઈ છે.
કાચા તેલની આયાતમાં આવી ખામી
સપ્ટેમ્બરમાં કાચા તેલની આયાત 35.88 ટકા ઘટીને 5.83 અરબ ડોલરની થઈ છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં કાચા તેલની આયાતમાં 51.14 ટકાનો ઘટાડો આવ્યો અને તે 31.86 અબજ ડોલર રહ્યું છે.
આ કારણ રહ્યું જવાબદાર
થોડા દિવસો પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે ચીનથી ભારતના વેપાર ખાધમાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ પાંચ મહિનામાં ચીનથી વેપાર ખાધ લગભગ અડધી થઈ ગઈ છે. તે મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માનવામાં આવી હતી.