નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ઓટો સેક્ટરમાં સુધાર માટે મોટી જાહેરાત કરી. એમણે રાહત આપતા કહ્યું કે માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનારા બીએસ-4 એન્જિન વાળા વાહનના રજિસ્ટ્રેશન પોતાના સમય સુધી માન્ય રહેશે. એમને લઇને કોઇ મુશ્કેલી નહીં આવે.
સીતારમણે કહ્યું કે જો કોઇપણ વ્યક્તિ માર્ચ 2020 સુધી કોઇ વાહન ખરીદે છે તો તેને ચલાવવામાં કોઇ મુશ્કેલી નહીં થાય. તેની ગાડીની માન્યતા પોતાના સમય સુધી વૈધ રહેશે. સાથે જ એમણે એ વાતનું પણ એલાન કર્યું કે વાહનોના રજિસ્ટ્રેશન ફીમાં જૂન, 2020 સુધી કોઇ વધારો કરવામાં આવશે નહીં.
ઓટો સેક્ટરમાં સતત ઘટી રહેલા વેચાણ રોકવા અને કારોની ખરીદીમાં તેજી લાવવા માટે નાણામંત્રીએ ઘણા એલાન કર્યા. એમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર સરકારના જોર લગાવવાને કારણે ગાડીઓના બંધ હોવાની આશંકા દર્શાવાઇ રહી હતી. સાથે જ કારોના વેચાણ ઓછુ હોવાની ફરિયાદ મળી હતી. સરકાર તેમા સુધાર માટે પગલા ઉઠાવી રહી છે.