વેબ સીરિઝ તાંડવ કેસમાં પોલીસ કેસનો સામનો કરી રહેલા એમેઝોન પ્રાઈમ ઈન્ડીયાના પ્રમુખ અપર્ણા પુરોહિતની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.
સુપ્રીમમાં વેબ તાંડવ સિરિઝ કેસની સુનાવણી
એમેઝોન પ્રાઈમ ઈન્ડીયાના પ્રમુખ અપર્ણા પુરોહિતની ધરપકડ પર સ્ટે
કેન્દ્ર સરકાર ઓટીટી પર ગાઈડલાઈનને બદલે કાયદો બનાવે-સુપ્રીમ
ધરપકડમાંથી રક્ષણ આપવાના 25 ફેબ્રુઆરીના હાઈકોર્ટના ઈનકાર બાદ પુરોહિતે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. સુપ્રીમે પુરોહિતના વચગાળાના જામીન આપી દીધા છે.
સુપ્રીમ કોર્ટે પુરોહિતની ધરપકડ ન કરવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંબંધિત કેન્દ્ર સરકારના તાજેતરના નિયમોની બારીકાઈથી ચકાસણી કર્યા બાદ
જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની વાળી ખંડપીઠે કહ્યું કે સોશિયલ મીડિયા, ડિઝિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે લવાયેલા કેન્દ્રના નિયમોમાં કોઈ દમ નથી અને તેનાથી પ્રોસિક્યુશનને પણ કોઈ તાકાત મળતી નથી.
આ કેસની સુનાવણી કરતા સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ માટેનું કોઈ તંત્ર નથી. કોઈ પણ જાતના કાયદા વગર તમે તેની પર નિયંત્રણ ન રાખી શકો.
આ કેસમાં સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર સાચા પગલા ભરવાનો વિચાર કરશે. ડિઝિટલ પ્લેટફોર્મ્સ પર કોઈ પણ રેગ્યુલેશન અઁગે કોર્ટને જાણ કરવામાં આવશે.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું, ઓટીટી પર ગાઈડલાઈનને બદલે કાયદો બનાવો
સુપ્રીમ કોર્ટે ઓટીટી પ્લેટફોર્મના રેગ્યુલેશન માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન પર પણ નારાજવી વ્યક્ત કરી હતી. કોર્ટને હવે કેન્દ્રની ગાઈડલાઈનમાં કોઈ દમ લાગ્યો નથી. કારણ કે તેમાં કેસ ચલાવવાની કોઈ જોગવાઈ નથી. સાથે કહ્યું કે કેન્દ્ર સરકારે ઓટીટી પર ગાઈડલાઈનને બદલે કાયદો બનાવવો જોઈએ.
શું છે સમગ્ર મામલો?
શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ સ્ટારર વેબ સીરીઝ તાંડવ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને કેટલાક લોકોએ ખેદ વ્યક્ત કરી રહ્યા છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વર્ગ દ્વારા તાંડવ વિરૂદ્ધ માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીશાન આયૂબે આ સીરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આના કારણે #BoycottTandav ટ્રેન્ડ કરી રહ્યું છે.