રિલાયન્સ જિયોએ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAI ને પત્ર લખીને વોડા-આઇડિયા VI અને Airtel વિશે ફરિયાદ કરી છે. રિલાયન્સ જિયો એ આરોપ લગાવ્યો છે કે વોડા-આઇડિયા VI અને Airtel પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે.
રિલાયન્સ જિયો એ લગાવ્યો આરોપ
ખેડૂત આંદોલનને લઈને VI અને Airtel પર સાધ્યું નિશાન
TRAI ને લખેલા પત્રમાં બંને કંપનીઓ પર લગાવ્યો છે આરોપ
ટેલિકોમ સચિવ એસ.કે.ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિયો એ વોડા-આઇડિયા VI અને Airtel પર નિશાન સાધતા કહ્યું હતું કે બંને કંપનીઓએ TRAI ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વધુમાં બંને કંપનીઓને લઈને જિયોએ કહ્યું હતું કે તેઓ ખોટા પ્રચારનો ઉપયોગ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે કરી રહ્યા છે.
ઉત્તર ભારતમાં ગ્રાહકોને આકર્ષવા થઈ રહ્યા છે અનૈતિક પ્રયાસો: જિયો
એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોડા-આઇડિયા VI અને Airtel ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ગ્રાહકોને આકર્ષવા અનૈતિક માર્ગ અપનાવી રહ્યા છે. કંપનીઓ ખેડૂત આંદોલન દ્વારા સર્જાતા રોષનો લાભ લેવા ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. જિયો કહે છે કે 28 સપ્ટેમ્બરના રોજ તેમણે ટ્રાઇને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ આ થવા છતાં પણ આ કંપનીઓએ કાયદાને નેવે મૂકતાં નેગેટિવ પબ્લિસિટી કરી રહી છે.
રિલાયન્સ જિયો એ આરોપ લગાવ્યો છે કે આ બંને હરીફ કંપનીઓ તેના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા રિલાયન્સ સામે નકારાત્મક ઝુંબેશ ચલાવી રહી છે, જેનાથી તેની છબીને નુકસાન થયું છે. રિલાયન્સ જિયો દ્વારા પોર્ટ પર ગ્રાહકોને ખોટી રીતે લલચાવવા માટેના પ્રયત્નોનો પણ જિયો એ વિરોધ કર્યો છે. રિલાયન્સ જિયો એ આ બંને કંપનીઓ ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટા અને વીડિયો પ્રૂફ પણ સબમિટ કર્યા છે.