જિયો ગ્રાહકો કૉલરટ્યૂનમા હવે COVID 19ને લઇને જાણકારી આપવામાં આવી રહી છે. Callertuneમાં હેલ્પલાઇન નંબર માટે જણાવવામાં આવી રહ્યું છે.
રિલાયન્સ જિયોની કોરોના વાયરસની જાગરૂકતા ફેલાવવા નવી પહેલ
ગ્રાહકની કોલરટ્યૂનમાં હવે COVID 19ને લઇને જાણકારી આપવામાં આવી રહી છે
Callertuneમાં આ ખતરનાક વાયરસને લઇને જાગરૂકતાનો મેસેજ
રિલાયન્સ જિયોએ કોરોના વાયરસને લઇને જાગરૂકતા ફેલાવવા માટે નવી પહેલ કરી છે. જિયોએ પોતા ગ્રાહકોની ડિફૉલ્ટ Callertuneમાં ફેરફાર કર્યો છે. જિયો ગ્રાહકની કોલરટ્યૂનમાં હવે COVID 19ને લઇને જાણકારી આપવામાં આવી રહી છે. Callertuneમાં આ ખતરનાક વાયરસને લઇને જાગરૂકતાનો મેસેજ સંભળાવવામાં આવી રહ્યો છે. સાથે જ એમાં એનાથી બચાવવાના ઉપાયો માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ગ્રાહકોને કૉલરટ્યૂનમાં હેલ્પલાઇન નંબરની જાણકારી પણ આપવામાં આવી રહી છે, જેને ગ્રાહક જરૂરત પડવા પર ઉપયોગ કરી શકે છે.
જાણકારી માટે જણાવી દઇએ કે આ કોરોના વાયરસને લઇને આ મેસેજ માત્ર એ જ ગ્રાહકોને સંભળાશે, જેન કોઇ Callertune સેટ કરી નથી. આ કોઇ પણ નેટવર્કથી જિયો નંબર પર કૉલ કરવા પર સંભળાશે.
આ Callertuneમાં પહેલા ખાંસીનો અવાજ આવે છે. પછી ત્યારબાદ મેસેજ સંભળાશે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ ફેલાતા રોકો. ખાંસી ખાતા, છીંક ખાતા પોતાના મોઢાને રૂમાલથી ઢાંકો. હાથને સતત સાબુથી ધોવો. તમારી આંખ, નાક અને મોઢાને અડશો નહીં. જો કોઇને તાવ, ખાંસી અને શ્વાસ લેવાની તકલીફ હોય તો એનાથી 1 મીટરનું અંતર રાખજો. જરૂર પડવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 01123978046 પર સંપર્ક કરો.