જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો તો આ માહિતી તમારે વાંચવી જોઇએ. રિલાયન્સ જિયો પોતાની એક મહત્વની સર્વિસ 27 ફેબ્રુઆરીથી બંધ કરવાની છે. જિયોની આ સર્વિસનો ઉપયોગ તમામ જિયો ગ્રાહક કરે છે. હવે આ સર્વિસ 27 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે.
રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે 27 ફેબ્રુઆકીથી જિયો મની વોલેટની સર્વિસ બંધ થઇ જશે. આ સંબંધમાં જિયોએ ગ્રાહકોને SMS દ્વાર જાણકારી આપી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે 27 ફેબ્રુઆરીથી જિયો વોલેટથી રૂપિયાને બેંકોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવશે.
તાજેતરમાં જ RBIએ મોબાઇલ વોલેટને લઇને એક ગાડલાઇન બહાર પાડી હતી જેમાં મોબાઇલ વોલેટ પ્રદાતા કંપનીને ગ્રાહકોની કેવાયસીને અપડેટ કરવા માટે આદેશ આપ્યા હતા. હવે જિયોએ એ ગાઇડલાઇન્સનો હવાલો આપતાં જિયો મનીની સુવિધાને બંધ કરવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ જિયઓએ આરબીઆઇ ગાઇડલાઇન પર જાણકારી આપવાની ના પાડી દીધી છે. જો કે એમને એવું જણાવ્યું છે કે રૂપિયા ટ્રાન્સફરથી સંબંધઇત જે પણ જરૂરી દિશા નિર્દેશ હશે એના માટે જરૂરી લાઇસન્સ લઇને જિયો પેમેન્ટ બેંક શરૂ કરવામાં આવશે.
જો કે કંપનીએ એવું નથી જણાવ્યું કે જિયો પેમેન્ટ સર્વિસ ક્યારથી શરૂ થશે. પરંતુ સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે કે એક વખત જ્યારે લાયસન્સ મળ્યા બાદ પેમેન્ટ શરૂ થશે તો પછી બેંકથી પૈસા ટ્રાન્સફર કરવામાં કોઇ સમસ્યા આવશે નહીં.
આ ઉપરાંત જિયોએ ગ્રાહકોને એલર્ટ કરતાં કહ્યું છે કે ગ્રાહક 26 ફેબ્રુઆરી સુધી જિયો વોલેટમમાં પડેલા પોતાના રૂપિયાને બેંકમાં ટ્રાન્સફર કરી લે કેમ કે બાદમાં એમને કોઇ પરેશાનીનો સામનો કરવો પડે નહીં. બાદમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કેટલીક ફી ચુકવવી પડશે. એટલા માટે તમે 26 તારીખ પહેલા જ જિયો વોલેટ પોતાની બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી દે. આ ટ્રાન્સફર માત્ર એક જ વખત કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે RBIના આદેશ મુજબ PayTm Airtel Money Freecharge MobiKwik Ola Money જેવા વોલેટ અકાઉન્ટમાં પણ બેંક ટ્રાન્સફર ફેસિલિટી 28 ફેબ્રુઆરી સુધી બંધ થઇ જશે.