કોરોના વાયરસના કારણે સંકટની ઘડીમાં ઘણા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે ત્યારે રિલાયંસ કંપનીએ પણ મદદ કરવા પહેલ કરી છે. રિલાયંસ કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓ માટે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. માત્ર કોરોના વાયરસનાં દર્દીઓ માટે જ આ હોસ્પિટલ બનવવામાં આવી છે.
માસ્કનું ઉત્પાદન વધારવામાં આવ્યું
ઈમરજન્સી સેવા આપતા વાહનોને મફત પેટ્રોલ
કર્મચારીઓ પાસેથી કામ ન લેવામાં આવે તોય પગાર મળશે
કંપની વિવિધ શહેરોમાં એનજીઓનાં માધ્યમથી ભોજન પણ આપવામાં આવશે. મહારાષ્ટ્રનાં લોધીવલીમાં જે આઈસોલેશન સેન્ટર બનાવવમાં આવ્યું છે તેમાં મેડીકલ કીટ્સ રિલાયંસ કંપની આપશે. કંપની હાલમાં જ પ્રતિદિન એક લાખ માસ્કનું ઉત્પાદન કરવાની જાહેરાત પણ કરી છે. આ સિવાય મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
જીયોએ કોરોના હારેગા, ઈન્ડિયા જીતેગા નામનું કેમ્પેન પણ શરુ કર્યું છે. જેમાં લોકોને ઘરમાં રહીને જ કામ કરવા માટે ઉત્સાહિત કરવમાં આવી રહ્યાં છે. ઈમરજન્સી સેવાઓ આપતાં વાહનોને રિલાયન્સ પેટ્રોલ પંપમાં મફત આપવાની જાહેરાત કરી છે. દેશમાં રિલાયન્સ કંપનીની 736 ગ્રોસરી સ્ટોર્સ છે જેમાં માંગ પ્રમાણે પુરવઠો પૂરો પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ વૃદ્ધો માટે ફ્રી હોમ ડિલીવરીનું વ્યવસ્થા પણ કરવામાં આવશે.
રિલાયંસ કંપની પોતાના કર્મચારીઓને ભરોસો આપ્યો છે કે દરેકને સેલેરી આપવામાં આવશે ભલે પછી તે કામ કરી રહ્યા હોય કે નહી. સાથે જ જેનો પગાર 30 હજારથી ઓછો હોય તે કર્મચારીને મહિનામાં બે વાર સેલેરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કેશની અછત ન થાય