રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારના લંડનમાં સ્થાયી થવાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યા છે. જેને નકારી કાઢવામાં આવ્યા છે.
પરિવાર સાથે લંડન રહેવા જવાના નથી મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરી સ્પષ્ટતા
RIIHL તાજેતરમાં જ હસ્તગત કરી છે એક હેરિટેજ પ્રોપર્ટી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંબાણી પરિવારના લંડનમાં સ્થાયી થવાના સમાચારને માત્ર અફવા ગણાવી છે. જાહેર કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "તાજેતરમાં અખબારોમાં પાયાવિહોણા અહેવાલોએ અફવા ફેલાવી છે કે અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે.
રિલાયન્સે કર્યો મોટો ખુલાસો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટતા કરે છે કે કંપનીના ચેરમેન અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કરવાની કે રહેવાની કોઈ યોજના નથી.
રિપોર્ટમાં જાણો શું કરાયો હતો દાવો
અહેવાલો અનુસાર, મુકેશ અંબાણી પરિવારને લંડન ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલ છે કે તેમણે સ્ટોક પાર્ક, બકિંગહામશાયર, લંડનમાં 300 એકરની મિલકત લીધી છે, જ્યાં તે પરિવાર સાથે સ્થાયી થશે. રિપોર્ટ અનુસાર અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં 592 કરોડ રૂપિયામાં સ્ટોક પાર્ક પ્રોપર્ટી ખરીદી હતી.
RIIHL તાજેતરમાં જ હસ્તગત કરી છે એક હેરિટેજ પ્રોપર્ટી
રિલાયન્સ ગ્રુપની કંપની RIIHL એ તાજેતરમાં હેરિટેજ પ્રોપર્ટી 'સ્ટોક પાર્ક એસ્ટેટ' હસ્તગત કરી છે. તેનો હેતુ સ્થાનિક નિયમો હેઠળ તેને 'પ્રીમિયર ગોલ્ફિંગ' અને 'સ્પોર્ટિંગ રિસોર્ટ' બનાવવાનો છે. આ એક્વિઝિશન ગ્રુપના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર બિઝનેસમાં ઉમેરો કરશે. આ સાથે તે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગને પણ વિશ્વ સ્તરે લઈ જશે.