નર્સરીના માલિક માર્ગાનીએ જણાવ્યું કે તેમણે એક વર્ષ પહેલા સ્પેનથી આ ઝાડની આયાત કરી હતી.
મુકેશ અંબાણીના ઘરની શોભા વધારશે આ ઝાડ
200 વર્ષ જુના ઓલીવના ઝાડ સ્પેનના છે
આંધ્રપ્રદેશની નર્સરીથી ટ્રકમાં લવાશે જામનગર
પોતાના ઘણા ગુણોના કારણે ફેમસ ઓલીવના ઝાડ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘરની શોભા વધારશે. શુભ માનવામાં આવતા 200 વર્ષ જુના ઓલીવના ઝાડને અંબાણી હવે પોતાના ઘરના ગાર્ડનમાં લગાવવાની તૈયારી કરી રહ્યા છે.
મુકેશ અંબાણીના જામનગર વાળા બંગલામાં બે દુર્લભ ઓલિવના ઝાડ હશે. તેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા છે. વર્ષો જુના ઓલીવના ઝાડને લગભગ 3 વર્ષ પહેલા સ્પેનથી આંધ્રપ્રદેશના ગૌતમી નર્સરીમાં લગાવવામાં આવ્યા હતા. બુધવારે આ બન્ને ઝાડને એક ટ્રક દ્વારા ગુજરાત મોકલી દેવામાં આવ્યા.
ટ્રક 5 દિવસની સફર કરીને ગુજરાત પહોંચશે
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઝાડ ગુજરાતના જામનગરમાં સ્થિત અંબાણીના ઘરના ગાર્ડનમાં લગાવવામાં આવશે. ટ્રક 5 દિવસની સફર કરીને ગુજરાત પહોંચશે. ઝાડને લાવવા માટેના ખર્ચ વિશે કોઈ જાણકારી નથી મળી પરંતુ સૂત્રોની માનીએ તો અંબાણીએ ઓલીવના ઝાડ પાછળ લગભગ 85 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
ટીઓઆઈના અનુસાર આ બન્ને ઝાડની 170થી 200 વર્ષ જુના છે. ગૌતમી નર્સરીના માલિકે કહ્યું કે ઝાડ જુના છે અને મોટી પોલીથીન બેગમાં મુકવામાં આવ્યા છે. તેને લઈ જતી વખતે ટ્રકની મેક્સીમમ સ્પીડ 30 કિમીથી વધુ ન હોવી જોઈએ. અંદાજે 29 નવેમ્બર સુધી ઝાડ જામનગર પહોંચી જશે.
એક વર્ષ પહેલા સ્પેનથી આ ઝાડની આયાત કરવામાં આવી હતી
નર્સરીના અન્ય એક માલિક માર્ગાનીએ જણાવ્યું કે તેમણે એક વર્ષ પહેલા સ્પેનથી આ ઝોડની આયાત કરી હતી. જ્યાર બાદ સ્થાનીક વાતાવરણને અનુકુળ થવા માટે તેને નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. વર્ષો જુના આ ઝાડ જ્યારે ભારતીય વાતાવરણમાં અનુકુળ થઈ ગયા ત્યાર તેમને વેચાણ માટે રાખવામાં આવ્યા. ત્યાર બાદ ઝાડ વિશે જાણકારી મળવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અમુક અધિકારીઓએ તેમની નર્સરીનો સંપર્ક કર્યો અને તેમને ખરીદી લીધા.
જણાવી દઈએ કે અમુક સંસ્કૃતિઓમાં ઓલીવના ઝાડને પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં ભલે ઓલીવના ઝાડને વ્યવસાયિક સ્તર પર નથી ઉગાડવામાં આવતા પરંતુ ઘણા લોકો માને છે કે તે સારૂ ભાગ્ય અને સારૂ સ્વાસ્થ્ય લાવે છે. ઓલીવના ઝાડ એ અમુક ઝાડની પ્રજાતિઓમાંથી એક છે જે લાંબા સમય સુધી જીવિત રહે છે. અમુક ઓલીવના ઝાડ 1000 વર્ષથી પણ વધારે જુના છે.