નેચરલ ગેસની કિંમતમાં ઘટાડાને લઇને મુકેશ અંબાણીના લગભગ 29000 કરોડ રૂપિયાના રોકાણ પર ખતરો તોળાઇ રહ્યો છે. જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઈનરીમાં 29000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2012માં એલાન કર્યું હતું કે કંપની રિફાઇનરીના ઉત્પાદન, પેટ્રોકેમિકલ કોક અને પેટકોકને ગેસમાં કન્વર્ટ કરશે. આ માટે કંપનીએ 29000 કરોડ રૂપિયાની કિંમતથી ગેસીફાયર મશીન લગાવવાનો નિર્ણય કર્યો. કંપનીની યોજના હતી કે સસ્તા પેટ્રોલિયમ કોક અને પેટકોક ઉત્પાદનોથી ગેસ બનાવી કંપની પોતાની જામનગર રિફાઇનરીને ખોટમાંથી બહાર લાવી શકે છે.
જોકે, હવે કંપનીની આ યોજના અવરોધ આવી રહેલાં નજરે પડી રહ્યા છે. કેમકે દુનિયાભરમાં LNGની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો છે. તેથી રિલાયન્સમાં રોકાણની વ્યવહારિકતાં હાલ ખતમ થઇ ગઇ છે. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે રિલાયન્સના આ મહત્વપૂર્ણ યોજના (Gasification) એલાનના 3 વર્ષ બાદ શરૂ થઇ શકી છે.
હવે રિફાઇનરીથી ગેસ બનાવવાની રિલાયન્સની યોજના પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહી છે, ત્યારે વધારે માત્રામાં ગેસની સપ્લાઇને પગલે વૈશ્વિક બજારમાં LNGની કિંમતોમાં ભારે ઘટાડો આવી ગયો છે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, કંપનીના ફાઇનાન્સ સાથે જોડાયેલ એક અધિકારીએ બતાવ્યું છે કે હવે ગેસની કિંમતોમાં ઘટાડાને પગલે ગેસીફિકેશનની યોજના વ્યવહારિક નથી રહી. રિલાયન્સનું માનવું હતું કે આ યોજનાથી જામનગર રિફાઇનરીને પ્રતિ બેરલ 2 ડોલરનો ફાયદો થશે.
પરંતુ મુંબઇ બેસ્ઝડ બ્રોકરેઝ ફર્મ સેન્ટ્રમ બ્રોકિંગ લિમિટેડનો દાવો છે કે નાણાકીય વર્ષ 2021-22 વચ્ચે જામનગર રિફાઇનરીને આ યોજનાથી માત્ર 1.30 ડોલરથી લઇને 1.50 ડોલર પ્રતિ બેરલનો જ ફાયદો થઇ શકશે.