JioMart Lays Off: રિલાયન્સ રિટેલના ઓનલાઈન હોલસેલ ફોર્મેટ JioMartમાં મોટા સ્તર પર છટણીની પ્લાનિંગ થઈ રહી છે. હાલ 1000થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ખબર સામે આવી રહી છે. કંપની માર્જિનમાં સુધાર અને નુકસાનને ઓછુ કરવા પર વિચાર કરી રહી છે.
JioMartમાં મોટા સ્તર પર છટણીની પ્લાનિંગ
1000થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા
માર્જિનમાં સુધાર અને નુકસાનને ઘટાડવા પર વિચાર
મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન હોલસેલ ફોર્મેટ JioMartમાં મોટી છટણી થઈ છે. ખબર છે કે કંપનીએ એક હજારથી વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
હાલમાં જ JioMartએ મેટ્રોલ કેશ એન્ડ કેરીના વ્યાપારને ભારતમાં ઓપરેશન માટે અધિગ્રહણ કર્યું છે. છટણીનો નિર્ણય કંપનીએ પોતાની આ ડીલના બાદ લીધો છે. રિપોર્ટની માનીએ તો આવનાર દિવસોમાં કંપની મોટા સ્તર પર છટણીની યોજના બનાવી રહી છે. જેનું કારણે હજારો કર્મચારીઓની નોકરી જઈ શકે છે.
મોટી છટણીની યોજના
એક રિપોર્ટ અનુસાર JioMartમાં છટણીની આ ફક્ત શરૂઆત છે. આવનાર સમયમાં JioMart પોતાના 15,000 વર્કફોર્સમાંથી એક તૃત્યાંશ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.
રિપોર્ટ અનુસાર JioMartએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના કોર્પોરેટ ઓફિસમાં 500 અધિકારીઓ સહિત 1,000 લોકો પાસે રાજીનામાની માંગ કરી છે. આ વ્યક્તિએ કહ્યું કે JioMart પણ પ્રદર્શન સુધાર યોજના હેઠળ પહેલાથી હજારો કર્મચારીઓની છટણીની પ્લાનિંગ કરી રહ્યું છે.
નુકસાનને ઓછુ કરવા પર ફોકસ
આ મામલાની જાણકારી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે મેટ્રો કેશ એન્ડ કેરીના 3,500 પરમનેન્ટ વર્કફોર્સ જોડાવ્યા બાદ કંપનીમાં કર્મચારીઓની ભુમિકાઓનું ઓવરલેપિંગ થઈ ગયું છે.
ગ્રોસરી બી2બી સ્પેસમાં પ્રાઈસ વોર શરૂ કરનાર કંપની પણ માર્જિનમાં સુધાર અને નુકસાનને ઓછુ કરવા પર વિચાર કરી રહી છે. જોકે આ મામલા પર હજુ સુધી ઓફિશ્યલ રીતે કંપનીની તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.