ગીર જંગલમાં સિંહોની સુરક્ષા માટે જંગલ અને આસપાસના વિસ્તારમાં આવેલા કૂવાઓ કોર્ડન કરાયા
ગીર જંગલમાં સિંહોની સુરક્ષા મુદ્દે મોટું પગલું
સાંસદ પરિમલ નથવાણીએ કર્યું ટ્વીટ
રિલાયન્સ ગૃપ રાજ્ય સરકાર સાથે મળી કરી કામગીરી
ગીર જંગલમાં સિંહોની સુરક્ષા મુદ્દે રિલાયન્સ ગૃપે રાજ્ય સરકાર સાથે મળી મોટું પગલું ભર્યું છે. સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે ગીરના જંગલ અને આસપાસના વિસ્તારમાં આવેલા કૂવાઓ કોર્ડન કરાયા છે જેમાં 2 હજાર જેટલા કૂવાઓ આગળ દીવાલ બનાવી દેવામાં આવી છે. જ્યારે અન્ય હજાર જેટલા કૂવાઓ કોર્ડન કરવાની કામગીરી હાલ પુરપાટ ઝડપે ચાલી રહી છે. મહત્વનું છે કે જંગલ વિસ્તાર નજીક આવેલા ખેતરોમાં સિંચાઇ માટે રાખવામાં આવેલા આ કુંવાઓ ખુલ્લા છે જેથી અકાળે સિંહ અને જન્ય પ્રાણીઓ કૂવામાં પડી જાય છે જેથી બચવા કૂવાઓ કોર્ડનની મહત્વની કામગીરી સરકાર સાથે મળી રિલાયન્સ ગૃપ કરી રહ્યું છે.
સાંસદ પરિમલ નથવાણીએ કર્યું ટ્વીટ
ગીરમાં ખુલ્લા કુવાઓ સિંહોની સુરક્ષા માટે મોટી ચિંતા છે. આ મુદ્દાને ઉકેલવા માટે, Reliance ગુજરાત સરકાર સાથે કામ કરી રહી છે. ભૂતકાળમાં, RIL એ લગભગ 2000 કુવાઓ બાંધ્યા હતા. હાલમાં આવા અન્ય 3000 કુવાઓ માટે કામ ચાલી રહ્યું છે, જેમાંથી 100 કૂવાઓને બનાવી પણ દેવાયા છે.
The open wells in #Gir are a big concern for the lion's safety. To address this issue, #Reliance has been working with the #Gujarat govt. In past, RIL built parapet around 2000 wells. Currently work is going on for another 3000 such wells, out of which 100wells have been covered. pic.twitter.com/21l3ViGiZz
ગુજરાતમાં કેટલા સિંહ?
ગુજરાતમાં સિંહના મૃત્યુ અંગે વિધાનસભામાં પ્રશ્ન કરાયો હતો જેના જવાબમાં સરકાર તરફથી જવાબ મળ્યો છે જે ચોંકાવનારો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 283 સિંહના મૃત્યુ થયા છે. જેમાં 254 સિંહના કુદરતી મૃત્યુ તો અકસ્માતથી 29 સિંહ મોતને ભેટયા છે પણ સારી વાત એ છે કે 2 વર્ષમાં સિંહની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2021ની સ્થિતિ સિંહની સંખ્યા 674 પહોંચી ગઈ છે. ગીર અભ્યારણ્યમાં 345 સિંહ, ગીર બહારના અભ્યારણ્યમાં 329 સિંહ હોવાની માહિતી પણ સરકારે આપી છે જેમાં 206 નર, 309 માદા અને 29 સિંહ બાળ છે. ત્યારે રિલાયન્સ ગૃપની આ પહેલા સિંહના ગૌરવશાળી વારસાને બચાવવા ખુલ્લા કૂવાઓને બોર્ડરને કોર્ડન કરી ઉમદા કાર્ય કરી રહી છે.