રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિમંડળે કેરળના મુખ્યમંત્રી પી. વિજયનની સાથે મુલાકાત કરી અને સાથે જ જણાવ્યું કે કોરોના વાયરસની વેક્સિન કોચ્ચિ પહોંચી છે.
કોરોનામાં વધુ એક મદદનો હાથ આવ્યો સામે
Reliance Foundation કરશે કેરળને મોટી મદદ
જાણો વેક્સિનના કેટલા ડોઝ આપશે ફ્રીમાં
રિલાયન્સ ફાઉન્ડેશને કેરળ સરકારને કોરોના વેક્સિનેશન અભિયાનમાં મદદ માટે હાથ લંબાવ્યો છે અને 2.5 કરોડ ડોઝ ફ્રીમાં આપ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના એક પ્રતિનિધિમંડળે કેરળના મુખ્યમંત્રી પી. વિજયનની સાથે મુલાકાત કરીને રાજ્યની મુસીબતમાં સાથે રહેવાની પ્રતિબધ્ધતા જણાવી છે. સાથે વેક્સિન કોચ્ચિ પહોંચી ચૂકી છે. આ માટે સીએમ વિજયને કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનથી મળેલી વેક્સિન કેરળના વેક્સિનેશન અભિયાનને મોટી મદદ સમાન સાબિત થશે.
Since the beginning of the pandemic, #RF spear-headed by Smt Nita Ambani, has been at the forefront to support the nation. Under #MissionVaccineSuraksha, over 10 lakh #COVID19 vaccine doses have been administered till now to employees, family members & dependents across #Reliancepic.twitter.com/D20WJuJn4y
કોરોનાની લડાઈમાં અમે રાષ્ટ્રની સાથે ઊભા છીએ
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે કોરોના વાયરસના વિરોધમાં અમે દરેક પગલે રાષ્ટ્રની સાથે છીએ. વેક્સિનેશનની સાથે લોકોનું સંક્રમણ બચાવવાની પ્રભાવી રીત છે. આ માટે મિશન વેક્સિન સુરક્ષા શરૂ કરાયું છે. અમે દેશમાં ફ્રી વેક્સિનેશન કરાવી રહ્યા છીએ અને સાથે 2.5 લાખ ફ્રી વેક્સિન ડોઝની મદદથી અમે કેરળની સાથે હોવાની પ્રતિબદ્ધતા દોહરાવી રહ્યા છીએ.
કેરળ સ્વાસ્થ્ય વિભાગ લગાડાવડાવશે મોકલાયેલી વેક્સિન
રિલાયન્સની તરફથી મોકલવામાં આવેલી વેક્સિનની ખેપ ગુરુવારે કોચ્ચિ પહોંચી છે. કેરળ મેડિકલ સર્વિસેસ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યું છે. એર્નાકુલમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જફર મલિકે કેરળ સરકારની તરફથી આ ખેપ સ્વીકારી છે. આ વેક્સિન વિતરણ અને લોકોને લગાવવાની જવાબદારી કેરળ સ્વાસ્થ્ય વિભાગની રહેશે. રિલાયન્સ ફાઉન્ડેશન દરેક મુશ્કેલ સ્થિતિમાં કેરળની મદદ માટે આવતું રહેશે.
The extension of #MissionVaccineSuraksha to the people of Kerala & across the country reinforces our commitment & promise of ‘We Care’. Till date, over 10 lakh #COVID19#vaccine doses have been administered to employees, family members & dependents across Reliance. pic.twitter.com/lk3KoCoY7f
આ પહેલા પૂર સમયે પણ કરી હતી મદદ
કેરળમાં 2018માં આવેલા પૂર સમયે પણ રિલાયન્સ મદદ માટે આગળ આવ્યું હતું. મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા દાન આપ્યા હતા. આ સિવાય રાહત શિબિર પણ કરી હતી. કપડા ફૂટવેર અને દવા વિતરણમાં રાહત કાર્યો 50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સિવાય રાજ્યને મેડિકલ મદદ પણ આપી હતી.
2019માં ભૂસ્ખલન સમયે પણ પ્રભાવિતોને પુનર્વાસમાં મદદ કરી અને 5 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં મદદ રૂપે આપ્યા હતા.
દેશભરમાં મદદ પહોંચાડી રહ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન
કોરોનાની શરૂઆતમાં જ રિલાયન્સ ફાઉન્ડેશનને મદદનો હાથ લંબાવ્યો અને હેલ્થકેર, મેડિકલ ઓક્સીજન, ફ્રી ભોજન, માસ્ક વિતરણ કર્યા. આ સિવાય રોજ 1 લાખ દર્દીને ફ્રી મેડિકલ ઓક્સીજન આપ્યો. દેશમાં 2000થી વધારે કોવિડ કેર બેડ્સ અને અન્ય સુવિધાઓ પણ આપી.
મહામારીથી પ્રભાવિત સમુદાયને 7.5 કરોડ મીલ્સ આપ્યા.
એક કરોડથી વધારે ફેસ માસ્ક વહેંચ્યા.
કર્મચારીઓ અને પરિજનો તથા આશ્રિતોને 10 લાખથી વધારે કોરોના વેક્સિન ફ્રીમાં લગાવડાવી.
રિલાયન્સ 98 ટકા કર્મચારીઓને વેક્સિનનો પહેલો ડોઝ લગાવડાવી ચૂક્યું છે.