રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના બિઝનેસમાં બદલાવનું એલાન કર્યુ છે. સૌદો કરવા માટે રિલાયન્સે કેટલીક પૂર્વ તૈયારીઓ કરી દીધી છે.
રિલાયન્સની ડિમર્જર યોજના
કોરોનાના કારણે રદ્દ થઇ હતી ડીલ
2021માં આ ડીલ થઇ જાય તેવી સંભાવના
શેરધારકો અને કરજદાતાઓની મંજૂરી
સોમવાર રાત્રે એક જાહેર નોટિસમાં રિલાયન્સે કંપનીને આ ડિમર્જર યોજના પર શેરધારકો અને કરજદાતાઓની મંજૂરી માંગી છે. RILએ કહ્યું કે અલગ કંપનીને સ્વતંત્ર તરીકે આગળ વધવાથી લઇને રસાયણ સુધીના બિઝનેસના અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
શેરમાં તેજી
કંપનીએ આશા બતાવી છે કે આવનારા નાણાકીય વર્ષની બીજી ત્રિમાસીક સુધી મંજૂરી મળી જશે અને આ એલાન બાદ આજે રિલાયન્સના શેર 2 ટકા વધીને 2049.95 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
જાણકારોનું કહેવું છે કે આ ડીમર્જરથી સઉદી અરબની દિગ્ગજ તેલ કંપની અરામકો સૌદાની તૈયારી માટે જ છે. આ સૌદાનો પ્રયત્ન ઘણા સમયથી ચાલી રહ્યો હતો.
2019માં મુકેશ અંબાણીએ આ એલાન કર્યુ હતુ કે તે તેલથી લઇને રસાયણ કારોબારનો 20 ટકા સુધીનો હિસ્સો વેચવાની વાતચીત કરી રહ્યાં છે. આ હેઠળ ગુજરાતના જામનગરમાં બે તેલ રિફાઇનરી અને એક પેટ્રોકેમિકલ એસેટ અરામકોને વેચી શકે છે.
પહેલા માર્ચ 2020 સુધી આ સોદો થઇ જશે તેની આશા હતી પરંતુ કોરોનાના કારણે આ ડીલ ન થઇ શકી અને રિલાયન્સના આ કારોબારમાં 3.26 લાખ કરોડ રૂપિયાનો લોન્ગ ટર્મ એસેટ અને 1.38 લાખ કરોડ રૂપિયાની કેશ તેમજ અન્ય સંપતિ છે.