દેશમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની વચ્ચે આજથી લોકડાઉનમાં વધુ છુટની તૈયારી છે. દેશમાં અત્યારે અનલોક 4 ચાલી રહ્યો છે. અનલોક 4 માં મળેલી છુટમાં અનેક સ્તરે ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. એક સપ્ટેમ્બરે અમલમાં મુકવામાં આવેલ અનલોક 4માં 7 સપ્ટેમ્બરથી અહીં મટ્રો સેવાઓ શરુ કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલો ખોલવાથી લઈને લગ્ન સમારોહમાં પણ વધુ છુટછાટ આપવામાં આવી છે.
188 દિવસ બાદ તાજમહેલ ખુલશે
કાર્યક્રમોમાં 100 લોકોની હાજરીને પરવાનગી મળી
આજથી સ્કૂલો કોલેજો ખૂલી
કોરોનાને જોતા માર્ચમાં બંધ કરવામાં આવેલી સ્કૂલો અને કોલેજોને આજથી કેટલીક ગાઈડલાઈન સાથે ખોલામાં આવશે. સાથે રેલ મંત્રાલય 20 સાથે જોડાયેલી ક્લોન ટ્રેનની શરુઆત થવા જઈ રહી છે. તેમજ કાર્યક્રમોમા 50ની જગ્યાએ 100 લોકોની હાજરીની છુટ અપાઈ છે.
188 દિવસ બાદ તાજમહેલ ખુલશે. જેને 17 માર્ચના રોજ બંધ કરવામાં આવ્યો હતો. નક્કી કરેલા મુલાકાતીઓની સંખ્યા પ્રમાણ મુલાકાત લઈ શકશે.
નવી ગાઈડલાઈન પ્રમાણે હવે લગ્ન, રાજનીતિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 100 લોકોની હાજરીને પરવાનગી મળી છે. પહેલા તે 50ની જ મર્યાદા હતી.
છેલ્લા અનેક મહિનાઓથી સ્કૂલો-કોલેજો બંધ હતા. ત્યારથી અત્યાર સુધી સ્કૂલો ખોલવા પર સરકાર વિચાર કરી રહી છે. હવે સરકારે નિર્ણય કર્યો છે કે આજથી સ્કૂલો ખોલવામાં આવે. જોકે સ્કૂલોએ ગાઈડલાઈનને ફોલો કરવી પડશે. કેન્દ્ર સરકારે 9માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓને દિશાનિર્દેશોના પાલન સાથે સ્કૂલો જવા પરવાનગી આપી છે.