સુરતમાં કોરોના વાયરસના કારણે હોસ્પિટલો ફૂલ છે ત્યાં દાખલ દર્દીઓના પરિજનો સાથે શું વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેનું વરવું દ્રશ્ય સામે આવ્યું છે.
સુરતમાં સિવિલનું સિસ્ટમ મરણપથારીએ
દર્દી જીવે છે કે નહીં તેની જાણ પણ નથી કરાતી
દર્દીઓના પરિજનો સાથે કરાઇ રહ્યો છે દુર્વ્યવહાર
સિવિલ તંત્ર પુત્રીને પિતાની માહિતી ન આપતું હોવાનો આરોપ
સુરતમાં હાંફી ગયું તંત્ર
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં જાણે સિસ્ટમ જ દમ તોડી રહ્યો હોય તેવા ઘાટ છે. લાચારી એવી છે કે દર્દીઓના સગાઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં આજે પોતાના પિતા માટે આક્રંદ કરતી યુવતીઓનું દર્દ હોસ્પિટલની બહાર જોવા મળ્યું છે.
પિતા માટે પુત્રીનો આક્રંદ
સુરત સિવિલ હોસ્પિટલ જાણે હાંફી ગઈ હોય તેવો વ્યવહાર દર્દીઓના સગાઓ સાથે કરવામાં આવી રહ્યો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિજને જણાવ્યું કે અમે વડોદરા અહિયાં આવી ગયા પરંતુ હોસ્પિટલ તરફથી જણાવવામાં નથી આવી રહ્યું કે માણસ જીવે છે કે નહીં! બેદરકારી એ હદે થઈ રહી છે કે સ્ટાફમાંથી કોઈ કહે છે કે જીવે છે અને કોઈ કહે છે કે મરી ગયા તો કોઈ જવાબ આપે છે કે વેન્ટિલેટર પર છે.
સિવિલમાં આ રીતે અપાય છે સારવાર?
દર્દીના પરિજને જણાવ્યું કે અડધી રાતે ફોન આવે છે હાલત ગંભીર છે અને અહિયાં આવીએ તો કહેવામાં આવે છે લાઇનમાં લાગી જાઓ. તો શું લાશ પકડાવવા માટે અહિયાં લાઇન લગાવવામાં આવી રહી છે? શું લાશ લેવા માટે લાઇનમાં લાગીએ? અન્ય એક દર્દીની પુત્રીએ પણ આક્રંદ કરતાં જણાવ્યું કે સ્ટાફમાંથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે કોઈ જવાબ આપવામાં આવી નથી રહ્યા.