પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટનું કહેવુ છે કે, હિન્દુ વિવાહ અધિનિયમ અનુસાર છૂટાછેડા લીધા વિના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ માન્ય ગણી શકાય નહીં.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી
છૂટાછેડા વગર કોઈ અન્ય સાથે સંબંધને સ્વિકારી શકાય નહીં
પુરુષ અરજીકર્તાની માગને ફગાવી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે, પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા વિના અન્ય કોઈ મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવું કામુક અને વ્યભિચારી કૃત્ય છે. પછી ભલે પત્નીથી અલગ રહેતા હોય છે, પણ તેમ છતાં પણ પતિના અન્ય મહિલા સાથે રિલેશનશિપમાં રહેવાની માન્યતા આપી શકાય નહીં.
કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, વિવાહ સંબંધી મુદ્દાના સંબંધમાં હિન્દુ વિવાહ અધિનિયમ 1955 એક પૂર્ણ સંહિતા છે, જે વિવાહની પ્રક્રિયા સાથે સાથે છૂટાછેડાની શરતોને પણ નક્કી કરે છે. પોતાના જીવનસાથી સાથે છૂટાછેડા લીધા વિના પુરુષ અરજીકર્તા 19 વર્ષિય યુવતી સાથે એક કામુક અને વ્યભિચારી જીવન જીવી રહ્યો છે અને તેનું જીવન ખરાબ કરી રહ્યો છે. કોર્ટે એ માને છે કે, અરજી સુનાવણી યોગ્ય નથી. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે આ કપની સુરક્ષાની માગને રદ કરી દીધી હતી.
હાઈકોર્ટના જસ્ટિસ અશોક કુમાર વર્માએ કૈથલ જિલ્લાના એક કપલ દ્વારા દાખલ સુરક્ષા અરજીને રદ કરતા એવું પણ કહ્યું કે, અરજીકર્તાએ પોાના જીવનની સુરક્ષા અને એક કપલ તરીકે રહેવાની આ સ્વતંત્રતા માટે આ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેને હાલના મામલાના તથ્યો અને પરિસ્થિતિઓમાં યોગ્ય માની શકાય નહીં. જો કે, એક વ્યક્તિ તરીકે અરજીકર્તા જો પોતાનું જીવન સ્વતંત્રતા માટે કોઈ પણ પ્રકારના ખતરાની આશંકા છે, તો તે પોતાની સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કરવા માટે હકદાર રહેશે.
આ મામલામાં અજીકર્તા કપલે લિવ ઈન રિલેશનશિપમાં હોવાનો દાવો કરતા પોતાના સંબંધોમાંથી પોતાની જીવનની રક્ષા માટે હાઈકોર્ટના નિર્દેશ જાહેર કરવાની માગ કરી હતી
અરજીકર્તાના વકીલે દલીલ આપી હતી કે, પુરુષ અરજીકર્તા પહેલાથી પરણેલ છે. તેમને 2014થી પત્ની સાથે વૈવાહિક વિવાદ ચાલી રહ્યા છે. બંને અરજીકર્તા વર્ષોથી એકબીજાને જાણે છે, એટલા માટે બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. આ કોઈ પણ દબાણ વિના મરજીથી લિવ ઈન રિલેશનશિપમાં છે.
અરજીકર્તા પક્ષે જણાવ્યું હતું કે તેના જીવને ખતરો છે. કોર્ટના સવાલ પર પુરુષ અરજીકર્તાએ વૈવાહિક સ્થિતિ વિશે બતાવ્યું કે તે અને તેની પત્ની લાંબા સમયથી અલગ રહે છે. અને તેમને કોઈ સંતાન નથી. જો કે, તેમણે છૂટાછેડા લીધા નથી.
તેના પર કોર્ટે કહ્યું કે, છૂટાછેડા ન હોવાને લઈને કાયદાની નજરમાં હાલમાં પણ પુરુષ અરજીકર્તાના વૈવાહિક જીવન કાયદેસર છે. ત્યારે આવા સમયે કઈ રીતે અન્ય મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી શકાય ? કોર્ટે કહ્યુ કે, હિન્દુ વિવાહ અધિનિયમ 1955 એક પૂર્ણ સંહિતા છે અને વિવાહની શરતો સાથે સાથે તલાકની પ્રક્રિયાની પણ તેમાં જોગવાઈ છે. હિન્દુઓના વિવાહ અને તલાક હિન્દુ વિવાહ અધિનિયમમાં નિર્ધારિત પ્રક્રિયામાં સામેલ છે.