બોલિવૂડની અભિનેત્રી રેખા અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. ઘણાં પ્રસંગોએ બંને અભિનેતાઓ સાથે જોવા મળે છે. ફરી એક વાર બોલીવુડના ઉમરાવ જ્હાન રેખાએ ઐશ્વર્યાના નામ એક મેગેઝીનમાં લાગણીશીલ પત્ર લખીને તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. રેખાએ 'માય એશ' લખી અને સુંદર પત્ર તેમણે 'રેખા માઁ' તરીકે સમાપ્ત કર્યું છે.
રેખાએ ઐશ્વર્યાના ઘણા પાત્રો વિશે પત્રમાં જણાવ્યું હતું કે તમે દરેક ભૂમિકા શ્રેષ્ઠ ભજવી છે પછી તે વાસ્તવિક જીવન સાથે સંકડાયેલી હોય અથવા રીલ લાઇફથી જોડાયેલી. તેમણે લખ્યું 'તારા જેવી સ્ત્રી નદીની જેમ હોય છે જે કોઈ પણ રચના વિના આગળ વધવા માંગે છે. તે પોતાના લક્ષ્યસ્થાન સુધી એ હેતુથી પહોંચે છે કે તે પોતાની ઓળખ ગુમાવશે નહીં.
લોકો ભૂલી જશે કે તમે શું કહ્યું હતું તમે શું કર્યુ હતું પણ તેઓ ક્યારેય એ નહીં ભૂલી શકે કે તમે તેમને કેવું ફીલ કરાવ્યું હતું. તુ હિંમતનું જીવંત ઉદાહરણ છે.
તુ તારી જાતમાં સંપૂર્ણ છો. તારે વિશ્વમાં કોઈને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. તેમણે લખ્યું 'બેબી તે ખુબ લાંબો સફર તય કર્યો છે. ઘણા અવરોધો પાર કરી અને આશ્ચર્યકારક રૂપમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે.
રેખાએ તેમને મળેલા ઘણા રોલ્સ લખ્યા પરંતુ તમારા આરાધ્યા અમ્માના પાત્રથી મને સૌથી વધારે આનંદ મળે છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તું ખુશ રહે. ઘણો બધો પ્રેમ હું આશા કરૂં છું કે ઈશ્વર તને લાંબી ઉંમર આપે... રેખા માઁ
ઐશ્વર્યા રાઈ રેખાને 'માઁ' કહે છે. જ્યારે રેખા તેમને 'જઝ્બા' ફિલ્મ માટે પુરસ્કાર આપતી હતી ત્યારે ઐશ્વર્યાએ કહ્યું હતું કે 'મારી માઁ મને આ અવોર્ડ આપે છે તે મારા માટે સમ્માનની બાબત છે.' રેખાએ પણ પ્રતિક્રિયા આપી 'હું આશા રાખું છું કે હું તને ઘણાં વર્ષો આ પુરસ્કાર આપતી રહું.'