કોરના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રેલવે બોર્ડે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેંજર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવામાં આવશે નહીં. જે સિવાય અલગ જો કોઇને પણ 12 ઓગસ્ટ સુધીમાં રેગ્યુલર ટ્રેનનું બુકિંગ છે તો તેને 100 ટકા રિફંડ મળશે.
સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે
આ અગાઉ 13 મે ના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેનની બુકિંગ કેંસલ કરવામાં આવી રહી છે, જેમાં યાત્રીઓને પુરુ રિફંડ મળશે. આમ હવે જ્યારે ટ્રેન કેન્સલ કરવાની તારીખ વધારી દેવામાં આવી છે, તો રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટસુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ - એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલતી રહેશે.
અત્યારે 30 જૂન સુધી રેલવે સેવા બંધ હતી
આ પહેલા રેલવે મિનિસ્ટ્રી દ્વારા સોમવારે એક સર્ક્યુલર જારી કરતાં બધા ઝોનને સૂચિત કર્યા હતા કે 14 એપ્રિલ અથવા તેના પહેલા બુક કરવામાં આવેલ બધી ટીકીટનું રિફંડ આપવામાં આવશે. અત્યાર સુધી રેલવેએ 30 જૂન સુધી જ રેલ સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. જ્યારે નવા સર્ક્યુલર મુજબ તેને હવે 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે.
શું 15 ઓગસ્ટ બાદ ટ્રેન ચાલુ કરવામાં આવશે?
રેલવેના નિયમો અનુસાર 120 દિવસ પહેલા કોઇપણ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકાય છે. હવે જ્યારે 14 એપ્રિલ અને તેના પહેલાની બધી ટિકિટનું રિફંડ કરવા કહ્યું છે, એટલે કે અંદાજે 15 ઓગસ્ટ પહેલા સુધીની બધી ટિકિટના રૂપિયા રિફંડ કરવામાં આવશે. તો શું રેલવે તરફથી 15 ઓગસ્ટ પછી ચલાવામાં આવશે ટ્રેન ?
હજુ વધારે ચલાવી શકાય છે સ્પેશિયલ ટ્રેન
સૂત્રોને મળતી જાણકારી મુજબ રેલવે તરફથી હજુ માગને પુરી કરવા માટે વધારાની ટ્રેન ચલાવામાં આવશે. તેને પણ સ્પેશિયલ ટ્રેનોની કેટેગરીમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે અંદાજે 230 મેલ અને એકસપ્રેસ ટ્રેન ચાલી રહી છે.