મોરબી મુલાકાત વેળાએ હાઈલેવલ મીટિંગમાં PM મોદીએ મોરબી હોનારતની તમામ કડીની ઊંડી તપાસ કરવા આદેશ આપ્યા છે.
મોરબી દુર્ઘટનાને લઇને PM મોદી મોરબીની મુલાકાતે
SP કચેરી ખાતે યોજી હાઈલેવલ મીટિંગ
ગોઝારી ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા આદેશ
મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં મોરબીમાં અકસ્માત સ્થળ પર જઇ બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં અસરગ્રતો સાથે વાત કરી હતી. ત્યારબાદ PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં પુલ દુર્ઘટનાની સમીક્ષા કરાઇ હતી. આ દરમિયાન PM મોદીએ મોટા આદેશ જારી કર્યા હતા. જેમાં આ ગોઝારી ઘટનાના એક-એક કડીની ઝીણવટભરી તપાસ કરવા સબંધિત વિભાગને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
તૂટેલા ઝુલતા પુલનું PM મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
મોરબીમાં તૂટેલા ઝુલતા પુલનું PM મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મોરબીમાં અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદી દુર્ઘટના સ્થળે મોદી 10 થી 15 મિનિટ રોકાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો. વધુમાં PM મોદીએ રેસ્ક્યૂ ટીમના અધિકારી સાથે ચર્ચા પણ કરી હતી. જેમાં આર્મી જવાનો અને NDRFની ટીમ સાથે વાત કરી સ્થિતિ જાણી હતી.
મોદીએ અસરગ્રસ્તોના હાલચાલ પૂછી સાંભળી ઘટનાની આપવીતી
ત્યારબાદ વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PMની અધ્યક્ષતામાં મોરબી SP ઓફિસે હાઇલેવલની બેઠક યોજાઇ હતી. જેમાં મોદીએ સબંધિત વિભાગને જરૂરી દિશા- નિર્દેશ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી હોનારતમાં 135 લોકો મોતને ભેટતા રાજ્ય આખું હચમચી ગયું છે.