કેન્દ્રની મોદી સરકાર પર સતત આક્રમક રહેતા પૂર્વ કોંગ્રેસી પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ભાજપ અને આરએસએસ વિશે એક ખૂબ જ ચોંકાવનારું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં ભાજપ અને આરએસએસ ફેક ન્યૂઝ ફેલાવે છે, અને આ માટે તેઓ ફેસબુક અને વ્હોટ્સએપનો પણ ઉપયોગ કરે છે.
ભાજપ અને આરએસએસ પર રાહુલ ગાંધીનો ચોંકાવનારો આરોપ
દેશમાં ફેસબુક અને વ્હોટસ એપ પર બન્નેનો છે પૂર્ણ કંટ્રોલ
આ બંને મીડીયમનો ઉપયોગ કરીને ફેલાવે છે નફરત અને ફેક ન્યુઝ
કેન્દ્રની ભાજપ સરકાર અને તેની માતૃ સંસ્થા આરએસએસ ભારતમાં ફેસબુક અને વ્હોટ્સ એપ પર આધિપત્ય ધરાવે છે, અને તેના દ્વારા ભારતીય જનતામાં તેઓ ફેક ન્યૂઝ અને નફરત ફેલાવે છે એવા પ્રકારનો આક્ષેપ રાહુલ ગાંધીએ આજે કર્યો હતો.
BJP & RSS control Facebook & Whatsapp in India.
They spread fake news and hatred through it and use it to influence the electorate.
રાહુલ ગાંધી આજે ફરી એક વાર તેમના ટ્વિટર હેન્ડલ પરથી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટમાં એક અમેરિકન અખબાર ધ વોલ્સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા લેખની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે ફેસબુક અને વ્હોટસએપનું સત્ય આખરે સામે આવી ગયું હતું. ભાજપ અને તેની માતૃ સંસ્થા આરએસએસ ભારતમાં ફેસબુક અને વ્હોટસએપ પર આધિપત્ય ધરાવે છે. જેના દ્વારા તેઓ દેશમાં નફરત અને ફેક ન્યુઝને ફેલાવે છે.
આરએસએસ પર પહેલેથી રહ્યા છે આક્રમક
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધીએ આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે, તેઓ કહેતા આવ્યા છે કે ભાજપ અને આરએસએસ દેશમાં નફરતની રાજનીતિ કરી રહ્યા છે, જયારે તેઓ અને તેમની પાર્ટી કોંગ્રેસ બધા સાથે પ્રેમ અને સાહચર્યની ભાવના સાથે આગળ વધે છે. તેઓ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની પ્રતિદ્વન્દીતાને વિચારધારાની લડાઈ ગણાવતા રહ્યા છે. પીએમ મોદીના કોંગ્રેસ મુક્ત ભારતના અભિયાનનો તેઓ વિરોધ કરતા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ૧૫ ઓગસ્ટના દિવસે તેમણે કોંગ્રેસ એક વિચારધારા નામનો વિડીયો શેર કર્યો હતો, જેમાં કોંગ્રેસના સ્વતંત્રતા સંગ્રામ સમયથી આજ સુધીના સમયને દર્શાવાયો છે. ધરોહર નામના આ વિડીયોમાં કોંગ્રેસ - દેશનો અવાજ લખીને ટ્વીટર પર શેર કર્યો હતો.
सभी को भारतीय सेना की क्षमता और शौर्य पर विश्वास है।
सिवाय प्रधानमंत्री के-
जिनकी कायरता ने ही चीन को हमारी ज़मीन लेने दी।
जिनका झूठ सुनिश्चित करेगा कि वो चीन के पास ही रहेगी।
ભારતની સેના પર કરેલા ટ્વીટમાં તેમને કહ્યું હતું કે દેશમાં પ્રધાનમંત્રી સિવાય દરેકને ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ પર વિશ્વાસ છે. પીએમ મોદીના જુઠાણાના કારણે ચીન ભારતની જમીન હડપવામાં સફળ રહ્યું છે અને જ્યાં સુધી પીએમ ખોટું બોલતા રહેશે, ત્યાં સુધી તે ચીનની પાસે જ રહેશે.