બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કહ્યું કે આ સમગ્ર મામલો જાણ્યા બાદ એવો કોઈ પુરાવો નથી જેનાથી ખબર પડે કે આરોપી મહિલાની સાથે લગ્ન ન હતો કરવા માંગતો.
બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
નિચલી અદાલતે યુવકને જાહેર કર્યો હતો દોષિ
યુવક વિરૂદ્ધ છેતરપિંડી અને શારીરિક સંબંધનો કેસ હતો દાખલ
લાંબા સમય માટે ફિઝિકલ રિલેશનમાં રહ્યા બાદ જો કોઈ વ્યક્તિ લગ્નથી ઈનકાર કરે છે તો તેને છેટરપિંડી ન માની શકાય . બોમ્બે હાઈ કોર્ટે આ ટિપ્પણી નિચલી અદાલતની (Trial Court) તરફથી એક યુવકને દોષી જાહેર કરવાના નિર્ણયને બદલતા આપ્યું છે. આ મામલામાં પ્રેમિકાએ પોતાના પ્રેમી પર લગ્નનું વચન આપ્યા બાદ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને બાદમાં વચનથી ફરી જવાનો આરોપ લગાવ્યો છે.
છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો
પાલઘરમાં રહેતા યુવકના વિરૂદ્ધ પોલીસે કલમ 376 અને 417 હેઠળ બળાત્કાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 19 ફેબ્રુઆરી 1999થી વઝુ સેશન જજે કાશીનાથને રેપના આરોપમાં તો બરી કર્યો પરંતુ તે છેતરપિંડીમાં દોષી મળી આવ્યો હતો.
ત્રણ વર્ષ સુધી લગ્નનું વચન આપી પ્રેમિકાથી સંબંધ બનાવ્યા
નિચલી અદાલતે પાલઘરના રહેવાસી કાશીનાથ ધરાતને ત્રણ વર્ષ સુધી લગ્નનું વચન આપી પ્રેમિકાથી સંબંધ બનાવ્યા બાદ ફરીજવાના આરોપમાં 1 વર્ષની કડક સજા સંભળાવી હતી. કાશીનાથ ઘરાતે આ આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા હવે જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચે આ છેતરપિંડીના આરોપથી મુક્ત કરી દીધો છે.
કોર્ટેનું કહેવું છે કે દરેક તથ્યો પર ધ્યાન આપ્યા બાદ જાણકારી મળે છે કે મહિલા અને આરોપીઓની વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ હતો અને હાલ રિલેશનશિપમાં પણ હતા. કોર્ટે કહ્યું મહિલાના નિવેદનથી આ સાબિત નથી થતું કે તે કયા પ્રકારની છેતરપિંડીનો શિકાર બની હતી.
કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કોર્ટે કહ્યું કે આખો મામલો જાણ્યા બાદ આ પ્રકારના કોઈ પુરાવા નથી. જેનાથી જાણકારી મળે કે આરોપી મહિલાની સાથે લગ્ન ન હતો કરવા માંગતો. કોર્ટે કહ્યું કે આ વાતની પણ જાણકારી સ્પષ્ટ નથી કે આરોપીએ મહિલાને ખોટી જાણકારી આપીને તેની સાથે સંબંધ બનાવ્યા હતા. એવામાં તેને લાંબા રિલેશનશિપ બાદ લગ્નનો ઈનકાર કરવા અથવા છેતરપિંડી કરવાના દોષી ન માની શકાય.