રાજ્ય સરકાર અને સ્થાનીય એકમોના કર્મચારીઓ જેમણે જનગણતરીના કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિજન રજિસ્ટ્રેશનને ક્રમશ: જનગણના અને રાષ્ટ઼્રીય જનસંખ્યા રજિસ્ટ્રર (NPR) ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી આપવામાં આવશે. તેઓ સેન્સસ ઓફ ઇન્ડિયા એક્ટ, 1948 અને સિટિજનશિપ રૂલ્સ, 2003થી બંધાયેલા રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આવા કર્મચારી આપવામાં આવેલી જવાબદારીથી છટકી શકશે નહીં.
સેન્સસ ઓફ ઇન્ડિયા એક્ટ અને સિટિજનશિપ રૂલ્સ હેઠળ કોઇપણ સ્ટાફ જવાબદારી લેવાથી ઇન્કાર ન કરી શકે
જણગણતરી અથવા NPR ડ્યૂટી નિભાવવાથી ઇન્કાર કરવા પર 3 વર્ષ સુધીની સજા થઇ શકે છે
પ.બંગાળ સરકારે કહ્યું છે કે, તેણે NPR પ્રોસેસ પર રોક લગાવી દીધી છે
રાજ્ય સરકાર અને સ્થાનીય એકમોના કર્મચારીઓ જેમણે જનગણતરીના કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિજન રજિસ્ટ્રેશનને ક્રમશ: જનગણના અને રાષ્ટ઼્રીય જનસંખ્યા રજિસ્ટ્રર (NPR) ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી આપવામાં આવશે. તેઓ સેન્સસ ઓફ ઇન્ડિયા એક્ટ, 1948 અને સિટિજનશિપ રૂલ્સ, 2003થી બંધાયેલા રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આવા કર્મચારી આપવામાં આવેલી જવાબદારીથી મોઢું ફેરવી શકશે નહીં.
એક અધિકારીએ જણાવ્યું કે, આ બંને કાયદા હેઠળ ચિન્હિત કરવામાં આવેલા સરકારી કર્મચારી જનગણતરી અને એનપીઆર માટે આંકડા મેળવવાના નિર્ધારિત દાયિત્વને લઇને બંધાયેલા છે. તેમા એનપીઆર આંકડા મેળવતી વખતે મકાનોનું લિસ્ટ તૈયાર કરવાની જવાબદારી નિભાવનારા કર્મચારીઓ અને જનગણતરી કરનાર અધિકારીઓ, બંનેનો સમાવેશ થાય છે.
ત્રણ વર્ષ સુધીની જેલ
ભારતીય જનગણતરી કાયદા મુજબ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંચાલકોને પોતાના વિસ્તારની જનગણતરી માટે અધિકારીઓની નિમણૂક કરવી અનિવાર્ય છે. મુખ્ય જનગણતરી અધિકારી (DM), જિલ્લા અને ઉપ જિલ્લા જણગણતરી અધિકારી, ન્યૂમરેટર સામેલ છે. આ એક્ટની કલમ 11 હેઠળ જનગણતરી પ્રક્રિયામાં ભાગ લેવાથી ઇન્કાર કરનારા સરકારી અથવા અન્ય કર્મચારીઓ માટ ત્રણ વર્ષની જેલ અથવા જેલની સાથે દંડની જોગવાઇ છે.
પ.બંગાળે રોકી NPR પ્રોસેસ
આ પ્રકારે, NPR કાર્યથી ઇન્કાર કરનાર પર પણ સિટિજનશિપ નિયમ 17 હેઠળ 1000 રૂપિયા સુધી દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આવા કર્મચારીઓ પર શિસ્તબદ્ધ પગલા ઉઠાવવામાં આવી શકે છે. 2021ની જનગણતરી માટે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહીનાની વચ્ચે મકાનોની ગણતરી કરવામાં આવશે. સાથે-સાથે જ એનપીઆરનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન પ.બંગાળમાં સમસ્યા ઉભી થઇ શકે છે કેમકે રાજ્ય સરકારે કહ્યું છે કે, તેણે NPR પ્રોસેસને રોકી દીધી છે.