રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પાલનપુરના રિસોર્ટમાં રોકાયા છે. કોંગ્રેસના 71માંથી 61 ધારાસભ્યોએ બાલારામ રિસોર્ટમાં રાત્રી રોકાણ કર્યો હતો. આ રિસોર્ટમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ગયા નથી. રથયાત્રા પૂર્ણ થયા બાદ 5 ધારાસભ્યો રિસોર્ટમાં જશે. જ્યારે અન્ય 5 ધારાસભ્યો કોંગ્રેસના રિસોર્ટમાં જશે નહી. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવુ અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ. ત્યારે હવે ગેનીબેન ઠાકોરે અલ્પેશ પ્રતિક્રિયા આપી છે કે, અલ્પેશ ઠાકોર પાસે કોંગ્રેસના ધારાસભ્યોન નામ હોય તો જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ પાસે માત્ર 3 ધારાસભ્યોના જ નામ છે. આ દરમિયાન ગેનીબેને, ભરતજી ઠાકોરને અડકતરા અલ્પેશ ઠાકોરના માણસ પણ ગણાવ્યા હતા. તો બીજી તરફ સોમા પટેલે વિવાદીત નિવેદન આપ્યુ છે. સોમા પટેલે વીટીવી સાથે વાત કરતા જણાવ્યુ કે, રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદ કરવા માટે આવ્યા છે. બે દિવસની રજા હતી. જેના કારણે ધારાસભ્યો આનંદ કરવા આવ્યા. સોમા પટેલે નિવેદન આપતા કોંગ્રેસના શિબિર પર સવાલ ઉઠી રહ્યા છે.