જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણીઓ, નિવૃત્ત અધિકારીઓ અને નિવૃત્ત ન્યાયાધીશો સહિત 177 અગ્રણી વ્યક્તિઓની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓની સુરક્ષામાં ઘટાડો
નિવૃત્ત ન્યાયાધીશ, પોલીસ અધિકારીઓની પણ ઘટાડવામાં આવી સુરક્ષા
ઓડિટ બાદ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણીઓ, નિવૃત્ત અધિકારીઓ અને નિવૃત્ત ન્યાયાધીશો સહિત 177 અગ્રણી વ્યક્તિઓની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ આદેશ 20 રાજકારણીઓની વધારાની સુરક્ષા પાછી ખેંચાયા બાદ અને SSP અને SP રેન્કના કેટલાક પોલીસ અધિકારીઓના PSO(પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ)ને પાછા ખેંચાયાના થોડા દિવસો બાદ આવ્યો છે. ટોચના નિવૃત્ત અધિકારીઓ જેમની સુરક્ષાને ઘટાડવામાં આવી છે, તેમાં પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ડૉ. શેષ પાલ વૈદ અને પૂર્વ એડિશનલ DGP (Former Additional DGP) મુનીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે, જેમના બે અને ત્રણ PSO પાછા ખેંચવામાં આવ્યા છે.
હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની પણ ઘટાડવામાં આવી સુરક્ષા
સુરક્ષા વિભાગ દ્વારા વધારાના PSO ધરાવતા અન્ય સેવા નિવૃત પોલીસ અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે, જેમાં મુબારક અહમદ ગની, રફ-ઉલ-હસન, એએસ બાલી, મોહમ્મદ અમીન અંજુમ (મન્હાસ), ગુલામ હસન ભટ, મોહમ્મદ અમીન શાહ, જગજીત કુમારનો સમાવેશ થાય છે. જાવિદ અહમદ મખદૂમી અને શમાસ અહેમદ ખાન, આ તમામ IGP તરીકે સેવાનિવૃત્ત થયા છે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુઝફ્ફર હુસૈન અત્તર અને પૂર્વ વરિષ્ઠ એડિશનલ એડવોકેટ જનરલ બશીર અહેમદ ડારની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે.
આ અધિકારીઓની વધારાની સુરક્ષા હટાવામાં આવી
સેવા આપતા અને નિવૃત્ત IAS અધિકારીઓ કે જેમણે વધારાનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે તેમાં મસૂદ સમૂન (પૂર્વ PSC સભ્ય), અતહર અમીર શફી, ફઝલુલ હસીબ, SDM ધર્મારી, સિમરનદીપ સિંહ અને રાહુલ યાદવનો સમાવેશ થાય છે. ગુલામ નબી નાઈક (નિવૃત્ત IASની સાથે-સાથે પૂર્વ ધારાસભ્ય) અને ખુર્શીદ અહમદ શાહ, નિવૃત્ત કમિશનર/સેક્રેટરી પબ્લિક વર્ક્સ (R&B) વિભાગના SP પૂર્વ શ્રીનગરના પદ પર કાર્યરત IPS અધિકારી સાહિલ સંગ્રાલના ત્રણ પીએસઓને પાછા લેવામાં આવ્યો છે.
ભાજપ સહિત અનેક પાર્ટીના નેતાઓની હટાવાઈ વધારાની સુરક્ષા
નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપી, ભાજપ, ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP), પીપલ્સ કોન્ફરન્સના ઘણા નેતાઓએ પણ વધારાનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે. તેમાં ગુલામ અહમદ મીર, નાસિર અસલમ વાની ઉર્ફે સોગામી, કફીલ-ઉર-રહેમાન, નઝીર ગુરેજી, જાવેદ રાણા, ડૉ. સજ્જાદ શફી, શફકત વટાલી સામેલ છે. હિલાલ અકબર લોન, તાજ મોહી-ઉદ્દ-દિન, મોહમ્મદ ઈકબાલ મીર, ફયાઝ અહમદ મીર, મોહમ્મદ અમીન ભટની પણ વધારાની સુરક્ષા હટાવવામાં આવી છે.
ભાજપના આ નેતાઓની વધારાની સુરક્ષા હટાવવામાં આવી
ત્રણ ભાજપ નેતા કે જેમની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ગુલામ હસન મલિક, બિલાલ અહેમદ પર્રે અને મોહમ્મદ અશરફ રેશીનો સમાવેશ છે. તેમની સાથે તેમની પાર્ટીના તારિક અહમદ વીરીએ પણ વધારાની સુરક્ષા ગુમાવી છે. પીડીપી નેતા અબ્દુલ અહદ તાંત્રેની વધારાની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ ગની લોનની પણ સુરક્ષા ઘટાડવામાં આવી છે. જેમના વધારાના પીએસઓ સુરક્ષા વિભાગ દ્વારા પાછા બોલાવવામાં આવ્યા છે તેમાં સકીના અંસારી, કુમૈલ હુસૈન અંસારી, ડૉ. અમજીદ રઝા અંસારી, અબ્દુલ હુસૈન ભટ, નિઘાત ગુલ, અદનાન અશરફ મીર, મોહમ્મદ યાસીન ભટ અને હબીબુલ્લાહ બેગ છે.
સુરક્ષા અધિકારીઓના અભાવે ઘટાડવામાં આવી સુરક્ષા
આ સાથે જ નિવૃત્ત IAS ડૉ. નસીમ લંકરે પણ વધારાની સુરક્ષા ગુમાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સુરક્ષા વિંગે પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ)ની અછતને ધ્યાનમાં રાખીને રાજકારણીઓ, અધિકારીઓ સહિત વિવિધ વ્યક્તિઓને પૂરી પાડવામાં આવતી સુરક્ષાનું માનવશક્તિ ઓડિટ કર્યું છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે ઘણા સુરક્ષા પ્રાપ્ત લોકોની પાસે તેમની પાત્રતા કરતા વધારે સુરક્ષા કવચ હતું" ટોચના સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા ઓડિટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કવાયત એટલા માટે કરવી પડી કારણ કે 'Y' કેટેગરીમાં આવતા લોકોને 'Z' કેટેગરીનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને 'Z' કેટેગરીના લોકોને 'Z+' કેટેગરીનું કવર આપવામાં આવ્યું હતું.